Daily Archives: નવેમ્બર 26, 2012

दर्दे दिलके वास्ते पैदा किया इन्सानको

પરમેશ્વરે મનુષ્યોને ઉત્પન્ન કર્યાં ,બીજાં પ્રાણીઓ ક।રતાં ઘણી વિશેષતાઓ આપી ,ઘણી સ્વતંત્રતાઓ આપી ,અને પરાધીનતામાંથી મુક્તિ આપી .પણ આ પરમેશ્વરે ભેટ આપેલી .સ્વતાન્ત્રતામાંથી મનુષ્ય સ્વચ્છંદી બન્યો ,પરમેશ્વરની અદ્ભુત કૃતિઓને નુકસાન કરવા માંડ્યો .પરિણામે મનુષ્ય વિકૃત માનસનો બન્યો ,અને પરિણામે દુ:ખી દુ:ખી થઇ રહ્યો છે . એક ભજનમાં કીધું છેકે ભાઈ તું નિર્દયીનો સંગ ન કરતો પણ જવું ક્યાં ?બધે અભિમાની ,ઈર્ષાળુ દંભી અભિમાની લોકોજ વધારે દેખાય છે .હવે કૃપા કરીને ભજન વાંચો અને મારી ક્ષતિ ઉપર મારું ધ્યાન દોરો
બેલીડા બેદર્દનો સંગ કેમ કરીએ બેદર્દ બોલે મોઢે મીઠા બોલ એની વાતુંમાં વ્રહ્માંડ (બ્રહ્માંડ )ડોલે …બેલીડા બેદર્દનો સંગ કેમ કરીએ
એ …. હંસોને બગલો એકજ રંગા બેઠા સરોવર પારજી વાન બેઉનો એકછે પણ આહાર એકજ નઈ …બેલીડા બેદર્દ નો સંગ કેમ કરીએ
એ ….શ્યામ મોઢે ચણોઠડી ઈતો હેમની હારે તોલાયજી વજન બેઉનો એક છે એની કિમત એકજ નઈ ….બેલીડા
એ ….કાગોને કોયલ એકજ રંગા ઈતો બેઠાં આંબલીયાની ડાળ જી વાન બેઉનો એક છે . પણ બોલી એકજ નઈ ….બેલીડા
એ ….ભગવા ધારી સાધુડા ઈતો ગંગા ના ‘વા જાયજી લૂગડાં બેઉનાં એક છે પણ મનડા એકજ નઈ ….બેલીડા
ચિત્તા ,વરુ .વાઘ ખાનગી વાતો ભેગા થઈ કરી ર્યા છે
મનુષ્યો આપણા કરતાં વધારે ક્રૂર થઈ ગયા છે