Daily Archives: નવેમ્બર 8, 2012

સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ જમ

“આ સોટી વાગે ચમ ચમ “એ કહેવત જૂની છે .મારું માનવું છે કે  જેની બુદ્ધિ કામ કરતી નથી એને ગમે એટલી સોટી મારો એ કઈ શીખવાનો નથીઉલ્ટો વધુ જડ જેવો થઈ જાયजिस्को नहीं है बोध तो गुरु ज्ञान क्या करे ,बंदा न करे भजन तो भगवान क्या करे ?મારા ગામ દેશીંગા માં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણાવતા .વધારે ધોરણ રાખે તો વધારે માસ્તર રાખવો પડે ,અને ઈ બાપુને એક ગામના ધણીને પોસાય નહિ .દેશીંગા થી નજીકના ગામ  મરમઠમાં અંગ્રેજી વિના સાત ધોરણ સુધી ભણાવતા .મરમઠ એ માણાવદર દરબારના 24  ગામ માનું  એક્ગામ  હતું એ બાપુને ઈંગ્લીશ ભણાવનાર માસ્તર પોસાય એમ  ન હતું  મરમઠ ની બાજુના સરાડીયા અને માંડવા જુનાગઢ રાજ્યનાં ગામ , આ ગામ  મોટાં પણ જુનાગઢ નવાબના કોઈ ગામડામાં  નિશાળજ  નહિ .ફક્ત કસ્બાઓમાં નિશાળ  ખરી .એટલે સરાડીયા ,દેશીંગા ,અને માંડવા ગામના છોકરાઓ( છોકરીઓ નહીં)મરમઠ ભણવા આવે .તે સમયે નિશાળમાં ભણવાનો કાયદો એવો હતોકે સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ભણવાનું અને પછી બે કલાકની ખાવા પીવાની રજા પડે અને બે વાગ્યે સ્કુલ ચાલુ થાય તે ઠેઠ પાંચ વાગ્યા સુધી .દેશીંગામાં નુંનારડાથી એક છોકરો એની માસીને ઘરે રહેતો અને મરમઠ ભણવા આવતો .આ છોકરો જટાશંકર મને દુરનો સગો થાય .તે સમયે વાહન વહેવારની સગવડ નહીં એટલે લોકો ઘોડાં રાખતા ઘોડાં ધણશેરમાં (ગોચરમાં )ઘોડાના એક બાજુના બંને પગને દામણ દઈને રેઢા ચરવા મુકે .મને અને જટાશંકરને વિચાર આવ્યોકે આપણે બાર વાગ્યે ઘરે જમવા જઈએ ત્યારે ઘોડા ઉપર ચડીને જઈએ અને ઘરે ગયા પછી ઘોડાને ડામણ દઈ આપણા ગામના ધણશેરમાં ચરવા મુકીએ ,અને જમી પરવારીને પાછા મરમઠ ભણવા આવીએ ત્યારે ઘોડેસ્વાર થઈને આવીએ .અને આમ “ઘોડી દરબારી અને રાંગ પરબારી “કરી લેતા .
અમને ભણાવનારા માસ્તર દેવશંકર ત્રિકમજી દવે ભણાવે પણ સારું અને મારવાનું પણ સારું છોકરાની જરાક ભૂલ પડે તો એ જેવી ભૂલ એવો માર મારતા ,ગોઠણ નીચે ચીટલો ભરવો ,તમાચો મારવો ,હાથ પકડી વાંકાવાળી વાંસામાં ધુંબો મારવો ,અંગુઠા પકડાવી સાથળ ઉપર અને એનાથી ઉંચે જ્યાં માંસ હોય ત્યાં આંકણી thi marvu ramsing કરીને એક ઠોઠ નિશાળીયો હતો .તેને આ ચારેય પ્રકારના મારનો પાકો અનુભવ .
હું એકવખત સાબની ઝપટે ચડી ગએલો .મને ઉઠ બેસ કરાવી ,અંગુઠા પકડાવ્યા અને આંકણી થી માર્યો .ભણવા બાબત નહીં પણ મેં માસ્તર સાબની ભૂલ કાઢી એ માટે ,શિક્ષ્કો ભૂલો કાઢવાથી ટેવાયેલા હોય ભૂલ કઢાવવાથી ટેવાયેલા ન હોય .અમારે “હલ્દીઘાટનું યુદ્ધ “એ પાઠ હતો આ યુદ્ધ અકબરના દીકરા સલીમ અને મહારાણા પ્રતાપ વચ્ચેનું હતું .પ્રતાપ હમેંશા પોતાના માથા ઉપર છત્ર રાખતો ,એટલે તેને ઓળખાવો સહેલો રહેતો .યુદ્ધ વખતે તેના સાગરિત ઝાલા રાણા માનસિંગે છત્ર પોતાને આપી દેવા માટે પ્રતાપને કહ્યું તે વખતે તે માનસિંહ એવું બોલેલોકે હવે તું છત્ર મને આપી દે અને મને “મહિમાવાન થવા દે ” અમારા માસ્તર એવો અર્થ કરતા કે મી એટલે પૃથ્વી અને માવાન એટલે ભેટવું .મેં સૌ સંભાળે એમ જોરથી કહ્યુકે માનસિંહ એવું કહે છેકે પ્રતાપ મને તારું છત્ર આપીડે અને મેં તુને બચાવ્યો અને મેં તુને બચાવ્યો એ બાબત મને મહિમા વાળો થવાદે . સાબને છીંકણી સુંઘવાની ખસી ટેવ હતી ,જયારે એ વિદ્યાર્થીને મારવા વછૂટે ત્યારે ઉતાવળે છીક્ણીના સડાકા બોલાવીલ્યે અને પોતાની ધોતીથી છીકણી વાળી ચપટી લુંન્છીને મારવા વળગે .પણ બાપુ આપણને વિદ્યાર્થી ઉપર દયા આવે હો .રામસિંહ ઠોઠનો ઠોઠજ રહ્યો। બહુ સોટી ચમ ચમ વાગી તે છતાં . ,