સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,294 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
‘છડાતો પણ હિ કથડો નથો છડે .’
દુઃખનું મૂળ અપેક્ષા છે એવું કહેવાયું છે.
દુઃખનું મૂળ ઉપેક્ષા છે એવું અનુભવાયું છે.
આ અપેક્ષા અને ઉપેક્ષા બંનેના મૂળ માણસના મનમાં છે. મન આપણું છે ને આપણને જ દુઃખી કરી જાણે છે. એની શક્તિ તો માત્ર આપણને જ નહિ, આપણાં હોય એમનેય દુઃખ પહોંચાડી શકવાની છે. મન અપેક્ષા રાખે છે. મન ઉપેક્ષા અનુભવે છે. અપેક્ષા રાખે છે એટલે ઉપેક્ષા અનુભવે છે. ને પરિણામે આપણને દુઃખી કરે છે. આપણાંને દુઃખી કરે છે.
અપેક્ષા એટલે ઈચ્છા. ઈચ્છા અમરવેલ છે. અમરવેલે ઉછરવા માટે જમીનમાં મૂળ નથી નાખવા પડતા. એ પીળી વેલ જ્યાં પડે ત્યાં ચોંટીને એ ડાળમાંથી રસકસ ચૂસી લે છે. જ્યાં વસે છે એનો જ નાશ કરે છે. એને સમયસર દૂર ન કરો તો એ વધતી – વિસ્તરતી જાય છે ને એક જાય છે ને એક દિવસ આખા વૃક્ષને ભરખી જાય છે. ઈચ્છાનેય સમયસર રોકો કે ટોકો નહિ તો એ અટકવાનું નામ નથી લેતી. અને એની અવિવેકસરની અમર્યાદ ગતિ અંતે દુઃખી કરે છે.
અપેક્ષાની એક વિશેષતા એ છે કે અપેક્ષા છે આપણી, પણ એને પૂરી કરવાાનું અન્યને ભાગે છે. એ અર્થમાં, અપેક્ષા આપણી છે છતાં આપણી નથી. એની પૂર્તિ બીજા પર આધાર રાખે છે ને બીજી વ્યક્તિનેય પોતાનું મન હોય છે, ને એ મનનેય પોતાની અપેક્ષા હોય છે. એને માટે અન્યની અપેક્ષાપૂર્તિ કોઇ જ મહત્વની નથી.
તો અપેક્ષાને કારણે દુઃખી ન થવાનું હોય તો? એક તો અપેક્ષા જ ન રાખવી. પણ, એ તો શક્ય જ નથી. મન છે એટલે અપેક્ષા પણ રહેવાની જ. તો, બીજી રીત છે કે પૂરી થઇ શકે એવી જ અપેક્ષા રાખવી. પણ એય ક્યાં આપણા હાથની વાત છે? તો પછી દુઃખી થવું. કમ સે કમ આપણે જ કારણે આપણે દુઃખી છીએ, કોઇે આપણને દુઃખી નથી કર્યા.
દુઃખનું બીજું કારણ છે ઉપેક્ષા. ઉપેક્ષા એટલ ઈન્કાર. અવગણના. અનાદર. આપણા હોવાનો. આપણી ઈચ્છાનો. આ અસ્વીકાર સહન કરવો આકરો છે. અસ્વીકારથી આપણો અહંકાર ઘવાય છે. ને લાચારીનો આ અનુભવ અપમાનિત કરે છે, દુઃખી દુઃખી કરી મૂકે છે. અસહાયતા, વિવશતા, અસમર્થતાનું દુઃખ વધારે પીડે છે. માર્ગ જાણવા છતાં ડગલું ન ભરી શકવાનું દુઃખ મોટું છે. ઉપેક્ષા સહન કરવાનું અઘરું છે.
પોતાની પાસે અન્યોએ રાખેલી અપેક્ષા પોતે પૂર્ણ કરી છે. પણ આપણી અપેક્ષાની ઉપેક્ષા થઇ રહી છે એવો અનુભવ કડવાશ જગાવે છે. દરેક વ્યક્તિને પોતાનું સુખ સપનું હોય છે. એ સિધ્ધ થવાની એની અપેક્ષા હોય છે. સપનું પૂરું થાય પણ ખરું ને નય થાય. પણ સપનું એ આંખનું અંગત છે. પૂરું ન થાય તોય જગતને જાણ નથી થતી એની રાહત છે. સપના કરતાં અપેક્ષા વધુ આકરી છે. સ્વપ્ન તૂટવા કરતાં અપેક્ષા તૂટવાની પીડા વધારે છે. તૂટેલા સ્વપ્ન આંખમાં હોય છતાં જીવી જવાય છે. અપૂર્ણ અપેક્ષાઓ જીવતરને દોહ્યલું બનાવી દે છે.
ઉપેક્ષિત અપેક્ષાનો કડવો સ્વાદ જીવનમાં કટુતા ભરી દે છે. દુઃખનું આય એક કારણ છે. દરેકને પોતાની અપેક્ષા સહજ ને સામાન્ય લાગે છે. જેના તરફથી એ પૂર્ણ થવાની અપેક્ષા છે એની બેદરકારી અક્ષમ્ય લાગે છે. આપણે એ માટેના કારણો વિચારવાની ધીરજ ધરાવતા નથી. ને જો કોઇ કારણો જણાવે તો ય એ આપણી અપેક્ષાની તુલનામાં સાવ નગણ્ય લાગે છે. બહાનાંબાજી લાગે છે. બેદરકારી હેતુપૂર્વકની બેદરકારી, સ્વાર્થપ્રેરિત બેદરકારી લાગવા માંડે છે.
અપેક્ષા અને ઉપેક્ષાની આ સ્થિતિનો સહજ પ્રતિઘોષ છે ક્રોધનો. આ અભિવ્યક્તિ યોગ્ય છે કે નહિ એ જુદી વાત છે પણ આ રીતે પોતાનો ભાવ વ્યક્ત કરનારને પોતાને થોડીક રાહત લાગે છે. પણ કેટલાક લોકો ગુસ્સો કરવાને બદલે મૂંગા થઇ જાય છે. અને પરિણામે કેટલીક વાર, સામેની વ્યક્તિને એમની મનોસ્થિતિની જાણ જ નથી થતી. અને એને લીધે જ બીજી ત્રીજી વાર પણ ઉપેક્ષિત થવાનું બને છે. સહન કરવાના પ્રસંગો વધતા રહે છે.
જ્યારે કામળાને છોડી દે અને નદીની બહાર નીકળી જા સમજાશે ત્યારે દુઃખનું કારણ ઉપેક્ષા, એને દૂર કરવાનો માર્ગ શું લેવો? વ્યક્ત થવું સારું કે મૂંગા થઇ જવું યોગ્ય? સમયસરનો વિરોધ સારો કે વ્યથાને ભીતર ભંડારી લેવી યોગ્ય? કે પછી આપણો આપણા દુઃખી હોવાના દર્દને અન્ય કોઇ રીતે પણ ઓછું કરી શકીએ છીએ? દરેકને પોતાની પીડા ગાવાનો અધિકાર છે. દરેકને માટે પોતાનું દુઃખ સૌથી મોટું છે. પણ, એક વાર આપણાથીય વધુ મુશ્કેલીમાં જીવનાર વિષે વિચારી જોવા જેવુંય ખરું! જેની અપેક્ષાઓ ઠોકરે મરાઇ છે, જેની સતત ઉપેક્ષા જ થઇ છે એનો વિચાર કરીએ તો આપણે આપણા દુઃખ વિષે નવેસરથી વિચારી શકીએ. દુઃખ ભલે દૂર ન થાય, ઓછું તો જરુર લાગશે.
પ્રિય પ્રજ્ઞા બેન અપેક્ષા અને ઉપેક્ષા વિષે તમે વિસ્તારથી વાત કરી, ઘણું બધું જાણવા મળ્યું .
છડે ડે છડે ડે કથડે કે છડે ડે .આઉં તાં છડા તો પણ હિ કથડો નથો છડે .
આતાજી, આ કચ્છી ભાષાના શબ્દો લાગે છે , એ બરાબર છે ?
ડાકુ મુળુ માણેકની તો ગુજરાતી ફિલ્મ પણ બની છે.
મેઘાણીભાઈની “સૌરાષ્ટની રસધાર ” વાર્તાઓમાં પણ તેમણે
લખેલી
મુળુ માણેકની અભ્યાસ પુર્ણ કથા વાંચો
વિનોદભાઈ તમારી વાત સાચી છે. એ કચ્છી ભાષા છે.સૌરાષ્ટ્રમાં વસતા વાઘેર .એના ગોર બ્રાહ્મણો,ભડેલા, જુના વખતમાં સિંધથી આવેલા સંધી મુસલમાનો ,મોરબી તરફના જાડેજા રજપૂતો,મિયાણા,તુમ્બેલા ચારણો,વગેરે લોકો આવી ભાષા બોલે છે.
માનન્ય આતાજી,
સાદર પ્રણામ,
આતાવાણી પર આપના દર્શન થાય ત્યારે-ત્યારે પુજય વિનોબાજીના દર્શન થયાજેવી શાંતિ લાગે છે.
અને આ વાંચતા મેઘાણીજીની “સૌરાષ્ટ્રની રસધાર”ની વાર્તાઓ યાદ આવી ગઈ.આભાર આતા.
આવા રસ પાન કરાવતા રહો એ અશા સહ પ્રણામ.
પ્રિય વિમલા બેન
તમારા જેવાં પ્રશન્શકો મારામાં જુસ્સો ટકાવી રાખે છે ,અને નવો જુસ્સો પૈદા કરે છે .તમારો ઘણો બધો આભાર