કવિઓના ભેજાની નિપજ

આજે હું કવિશ્વરોના  ભેજાં  લોકોના  ભેજાં માં કેવું કેવું  ઘુસાડી દ્યે છે .એની વાત કહીશ .એક ભજન છે .એમાં બધા  ગપ્પાંજ છે .”શક્કર ખોરનું સાકર જીવન ખરનાં પ્રાણ જ  હરે “પરમેશ્વરે પ્રાણીઓનું સર્જન કર્યું .એના માટે ખોરાક પણ પરમેશ્વરેજ બનાવ્યો છે.(હવે હું થોડું હિન્દી લખું છું .શીખ્વામાટે )हिंदी लखु छू આનો અર્થ એ થયોકે સક્કરખોર પ્રાણીનું સર્જન  માણસેજ કર્યું છે.બીજું સિહણનું દૂધ હોય તે સિહણનાં બચ્ચાં નેજ પચી શકે ,અને સિહણ ને દોવા માટે સોનાંનું  વાસણ જોઈએ ,બીજી ધાતુના વાસણમાં દુવો તો દૂધ વાસણ ફોડીને બહાર નીકળી જાય ,હવે ક્યા કવિએ સિહણને દોઈને એનાં છોકરાંને   પીવડાવીને ખાતરી કરી હશે એતો રામ જાણે .રાવણને દસ  મસ્તક હતા અને વીસ હાથ હતા .આખું શહેર લંકા સોનાનું હતું ,મને લાગેછેકે એણે લંકા લોઢાની બનાવી હશે .અને પછી પારસમણી અડાડ્યો હશે.તોય સવાલ એ થાય કે આટલું બધું લોઢું તે ક્યાંથી લાવ્યો હશે.બીજી વાત એકે રાવણે નવ ગ્રહોને આકાશમાંથી ઉપાડી લાવીને પોતાને  પલંગ સાથે બાંધી દીધેલા ,રાવણ ઈન્દ્ર દેવને કહે એટલે રાવણ કહે ઈ ઠેકાણે વરસવું પડે ,એક વખત મેં અશોક મોઢ વાડિયાને એક દુહો લખ્યો કે અને એ દુહો પાછો મેં કબીર સાહેબના નામે ચડાવી દીધો .દુહો આ પ્રમાણે હતો . સાંઢયો   આંકડો ખાય નઈ મીંદડી ખાય નહીં ખીર સોરઠિયો ગાળ્યુ ખાય નઈ  ઈં કેતો  ગો કબીર ,અશોકે મારા ઉપર ભરોસો નો કર્યો ,કેમકે ઈને ખબર છેકે  આતા ભલે  આછા પાતરાપણ  કવિ તો છેજ . એટલે એણે  જાતે મીંદડી ને  ખીર ખવડાવી જોઈ મીંદડી એક ટોપડી (તપેલું )ખીર ખાઈ ગઈ ,કંઈ ઉલટી થઇ નહીં એતો ઓડકાર ખાયને ઇના બોગન વેલીયાને   છાંયે આરામ કરવા જતી રહી  ..

નાગને માથે  મણી  હોય  આ મણી જેની પાસે હોય એને સમુદ્ર પણ પોતાની અંદર જવા માટે રસ્તો કરી આપે .રાજા નંદ પાસે મણી હતો ,આ પૃથ્વીને શેષ નાગે પોતાના માથા ઉપર ધરી  રાખી છે .ભાવનગર શહેર વસાવવા માટે જમીનમાં ખીલ્લો  ખોડયો .ભાવસિંહ મહારાજના  કુલ્ગુરુએ   કીધું કે બાપુ ખીલો બરાબર શેષનાગના  માથા ઉપર ગયો છે.બાપુ એ કીધું કે શેષનાગના  માથા ઉપર ગયો છે .એની ખાતરી શી ?ગોરબાપાએ કીધું કે ખીલો ખેંચીને જોઈ જુવો ખીલો ખેચી જોયો તો એ  લોહી વાળો હતો .આવીજ બરાબર આવીજ વાત જામનગર વસાવવા બાબતની છે.શિવના મસ્તક ઉપર ચંદ્ર રહે છે.એ ચંદ્ર આ ચન્દ્ર છે જે આકાશમાં દેખાય છે કે પછી કોઈ બીજો એની માસીનો દીકરો છે.?પાછા કવિઓ એવું કહે છેકે આખો ચંદ્ર અમૃતથી છલોછલ ભરેલો છે.નાગને સંગીત બહુ પ્રિય છે.મોરલી નાદે નાગ ડોલવા લાગે ,દેશીંગામાં  હું નાનો હતો ત્યારે એક  વાદી આવેલો,   મારા ગામના એક પટેલ મને કહેતા  હતા કે આ વાદી લોકો મોરલી વગાડે એટલે એનો અવાજ સાંભળી નાગ જ્યાં હોય ત્યાંથી આવી જાય .પછી આ વાડી લોકો મંત્ર મારે એટલે નાગ કાબુમાં આવીજાય પછી એ એને પકડીને એને કન્દીયાસ્માં પૂરી દ્યે મેં એ પટેલને કીધું કે આ વાદી નાગને છુટ્ટો મૂકી દ્યે અને પછી મોરલી વગાડે .અને જો એ નાગ મોરલી સાંભળીને નજીક આવે તો હું એને સો રૂપિયા આપું .અને ન આવે તો ગયો ઈ ગયો ઈને પકડવો નહિ . વાદી કહે   બાપુ મોરલી નાદને અને નાગને કઈ લેવા દેવા નથી .પટેલ  વાદીને કહે તું છુટ્ટો મુકીતો જો  હેમત ભાઈને ખાતરી થઇ જાય .  વાદીને   મેં કીધુકે નાગને છુટ્ટો મુક્યા પછી તું એને પકડતો નહિ .પટેલનું  માન  રાખી  નાગને છુટ્ટો  મુક્યો અને મેં વાદીને પાછો લેવા નો દીધો .અને મેં સહુ જુવે એમ પકડીને ધુધવી (નદી)ને કાંઠે મૂકી આવ્યો .એક નાગનો દુહો —-

નાગડા નીહરને બાર રાફડીએ કીં રૂંધાઇ રહ્યો ,તુને મારશું મોરાલીયુંના માર  તો તારી નાડ્યું તૂટશે  નાગડા

10 responses to “કવિઓના ભેજાની નિપજ

  1. pragnaju ઓક્ટોબર 20, 2012 પર 11:52 એ એમ (am)

    આપ બુ ધ્ધિના તર્ક છોડી હ્રુદયના ભાવથી આ માણશો.કહેવતની કક્ષાએ પહોંચેલ ધ્રુવપંક્તિ અને પ્રથમ અંતરાવાળું આ અમરકાવ્ય આપણા ભાષાકીય ખજાનાના એક સીમાચિહ્ન સમું છે. આ છે શાશ્વત કવિતા… યુગ કોઈ પણ હોય, એ સદૈવ સાંપ્રત જ લાગશે…વારંવાર આવાં કાવ્યો નજરે ચઢે તો કાવ્યને માણવાની આપણી સમજ અને સજ્જતાનો વિકાસ થાય.

    જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

    સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
    કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo

    સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
    ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo

    સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
    વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo

    ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
    મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo

    એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
    દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઇ

    (કનકપાત્ર=સુવર્ણપાત્ર, સક્કરખોર=સાકર ખાનાર જીવડો, ખર=ગધેડો, વગળવંશી=વર્ણસંકર, વમન=ઊલટી, મુક્તાફળ=મોતી) સિંહણ કેરું દૂધ હોય…તે જેઓ સિંહ જેવા સરદાર કે એવા મહાનને

    ન પારખનાર ને કયા પાત્રમા ગણવા…………………………?

  2. પરાર્થે સમર્પણ ઓક્ટોબર 20, 2012 પર 3:43 પી એમ(pm)

    આદરણીય વડીલ શ્રી આત્તા
    “કવિ હર હમેશ વાત લાવી નવી , કદી આકાશે બાગે ફૂલે દરિયે લે ભમી
    ઝાંઝવાના જળમાં પાણી બતાવે ને ચન્દ્રમા સુરજને લાવે ધરતી ગમી ” ( ભણી )
    આપે કોઈ ડોકટરી કરી છે કે શું આત્તા. કે કવિઓના મગજ ની વાતો જાની લીધી.
    વાહ મારા આત્તા આતો અનુભવનું ભાથું કહેવાય.
    જય હો ગોવિંદના પ્રણામ. દેશમાં ક્યારે જવાના છો ? તે જણાવજો

    • aataawaani ઓક્ટોબર 20, 2012 પર 4:05 પી એમ(pm)

      પ્રિય ગોવિંદ ભાઈ મારો દેશમાં જવાનો વિચાર બહુ થાય છે .તમારા જેવા સ્નેહીઓ અને સગા દેશમાં આવવાનું બહુ કહે છે પણ હવે ચાલવામાં મને થોડી તકલીફ પડે છે.મને હ્રદયનો હુમલો થયા પછી આ મુશ્કેલી ઉભી થઇ છે .કદાચ હું ડીસેમ્બરમાં આવું ,પણ આ વખતે હું વ્હીલ ચેર લેતો આવીશ .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. aataawaani ઓક્ટોબર 20, 2012 પર 3:52 પી એમ(pm)

    કનકભાઈ ‘
    મારે થોડું વધારે લખવું હતું પણ કોમ્પુટર બરાબર સાથ નથી આપતું અને મારો અમેરિકન મિત્ર શિકારે ગયો છે.
    એનો એક શેર બનાવ્યો છે રૂઢીચુસ્ત માણસએવા વિચારો કરે કે આવા પાપીનો સંગ નકરાય આવા ટીલાંટપકા વાળા મારી ખબર સુધ્ધા પૂછવા નથી આવ્યા ત્યારે આ માણસ હોસ્પીતાલ્માંથી છુટ્ટો થયા પછી મને એક મહિનો પોતાને ઘરે રાખ્યો . आता तेरा दोस्त chris हिंसा करता है .मुझे उसकी कल्या पड़ी वो जो कुछ करता है .

  4. aataawaani ઓક્ટોબર 21, 2012 પર 12:19 એ એમ (am)

    परगना बेन कव्य्नी रचना घनी सारी कहेवाय

  5. aataawaani ઓક્ટોબર 21, 2012 પર 6:49 એ એમ (am)

    બકુલ ત્રિપાઠી મને ફિનિક્ષ નાં આપણા ભારતના લોકોએ બાંધેલ હોલમાં મને મળેલા .
    તેની વહેતી રહેલી હાસ્ય રસ ધારા ઉપર હું આફરીન થઇ ગએલો .

  6. સુરેશ ઓક્ટોબર 21, 2012 પર 5:28 પી એમ(pm)

    ઝુ વાળા કદાચ સિંહણને બેભાન કરી, એને દોહી શકે!
    બાકી આ બધી મન ગઢંત વાતો માટે ભગવાને બે કાન આપ્યા જ છે !!

  7. aataawaani ઓક્ટોબર 21, 2012 પર 8:03 પી એમ(pm)

    સુરેશ ભાઈ તમે તમારા સાથી દારોની જેમ કાળા નાણાં ઉભા નો કર્યા એનો તમને કેટલો બધો આનંદ આવે છે?એ તમારી ઓછી મૂડી નો કહેવાય

Leave a reply to kanakravel જવાબ રદ કરો