Monthly Archives: સપ્ટેમ્બર 2012

આદ્ય સ્થાપકો – રત્નો અને દેવશીંગ

હું મારા જન્મ સ્થળના ગામ દેશીંગા વિષે થોડુંક  લખું  છું .આ માટે મારામાં જીજ્ઞાસાવૃત્તિ જન્માવનાર  પરમેશ્વરનો હું આભાર માનું છું.અને જે વડીલો પાસેથી વાતો સાંભળી છે.એવા ગોવાભગત ,કાનાબાપા રબારી ,મારા નરભેરામ બાપા વગેરેનો હું આભાર માનું છુ.અને મને દેશીંગા વિષે લખવાની વિનંતી કરનાર માલદે કન્ડોરીયાનો અને બ્લોગમાં મુકવાની વિનંતી કરનાર સુરેશજાની અને મારો એમને પરિચય કરાવનાર કલાગુરુ રવિશંકર રાવળના સુપુત્ર કનક રાવળ નો અને મને કાળી રાત્રે દોડતો આવીને હર્ષભેર કમ્પ્યુટર માં માર્ગ દર્શન આપનાર અમેરિકન મિત્ર ક્રિશનો  હું ઘણો બધો આભારી છું .

હાલ જ્યાં દેશીંગા ગામ વસેલું છે.વર્ષો પહેલાં એ સ્થળ ઘાટા  બાવળની ઝાડી વચ્ચે ઉજડ  ટીંબો હતું .થોડા વર્ષો પછી ત્યાં  પોતાનાં ઢોર ઢાંખર લઇ એક ચારણ કુટુંબ વસવા આવ્યું .અને એમણે ત્યાં નેસડો નાખ્યો.               ચારણ કુટુંબનો વડો હતો ,તેનું નામ રત્નો હતું .આ વાતને વર્ષો વિત્યા પછી  એક  દેવશીંગ  નામના ભાટ અથવા ગરાસીયાયે  એ વિસ્તાર  ઉપર પોતાનો કબજો જમાવી દિધો .એને અહિ  ખેતી વાડી કરવાનો અને પધ્ધતિ સરનું  ગામ વસાવવાનો વિચાર આવ્યો ,આ માટે એણે પ્રારંભમાં મણવર શાખાના પટેલોને વસાવ્યા .અને પછી સગે  સાગ્વે બીજી શાખાના પટેલો પણ આવી વસ્યા .અને પછીતો ખેતી કરવાના હેતુથી કન્ડોરીયા શાખાના સોરઠીયા આહેરો પણ આવ્યા .હાલ દેશીંગા માં હેઠાણ ફરિયામાં  વસેછે .તેમના વડવાઓ  પછીતો થોડા મેઘવાળ લોકો એક વાલ્મીકિ સમાજનું કુટુંબ, થોડાંક વસવાયાં , આવ્યાં .અને એક ગામ વસી ગયું .અને ગામનું નામ દેવશી ન્ગે  પોતાના નામ ઉપરથી દેવશી ન્ગા  રાખ્યું .જાતે દાડે “વ” અક્ષર નો લોપ થયો ,અને ફક્ત દેશીંગા  નામ રહી ગયું જે અત્યાર સુધી ચાલે છે.જમીનમાં  ખેતી થવાના કારણે  ઢોરને ચરાવવાની  જમીન ઓછી થઇ ગઈ . આકારણે  માલધારી ચારણોને  ખેડૂતો પ્રત્યે જબરજસ્ત ઈર્ષા પેદા થઇ .એટલે ચારણો ખેતરોમાં ભેલાણ કરવા માંડયા .એટલે ખેડૂતોએ એક બાબી જાતના પઠાણ ને  રખેવાળ તરીકે રાખ્યો .જેમ ખેડા જીલ્લામાં પઠાણ રખાઓ રાખતા .હાલ શીખ રખાઓ છે .પાકિસ્તાનનું સર્જન થયા પછી  પઠાણો  જતા રહેલા .ર”માંડલિક નું પતન  થયા પછી બાબી રજવાડાં ઘણાં થયાં .જુનાગઢ ,માણાવદર ,સરદારગઢ  ,બાંટવા . વગેરે જાતે દાડે  રાખોલીયો બાબી પઠાણ દેશીંગાનો ધણી રણી થઇ ગયો .એણે દેવીશિંગ ને ભગાડ્યો ,અને ચારણોને પણ ભગાડી મુક્યા ,જયારે ચારણના   નેસડા હતા ત્યારે ઉપરવાસથી  કરાર તરફથી વરસાદમાં ખુબ પાણી આવતું અને નેસડાઓમાં  ભરાઈ જતું એટલે    એટલે  એના ઉંપાય તારીખે સરોવર ખોદવાનો વિચાર ચારણના  મુખી રત્નાને આવ્યો .અને બધા નેસ્ડાવાસીઓની મદદથી સરોવર ખોદાય ગયું .આજુ બાજુ ગીરના જંગલ જેવી ઝાડી હતી .સરોવરનું નામ ચારણોએ  પોતાના વહાલા મુખી રત્નાનું  નામ જોડ્યું .આજુ બાજુ ગીર જેવી ઝાડી હોવાથી સરોવરનું નામ રત્નાગર   પાડવામાં આવ્યું કાંઠા ઉપર દેવીની સ્થાપના કરી .જે હાલ “ચારણઆઈ  “ના નામે ઓળખાય છે.

नगमा -ए -नरेशकुमार “शाद ”

तुझको गुलरुख देखा  जब मयनोश होजाना पडा

गुलसितांको मयकदा बरदोश होजाना पड़ा ……1

अल्ला अल्ला  जज्बाए बेईखत्यारे  आरजू

आज उन्हें खुद  मुझसे हमआगोश  होजाना पड़ा …2

साक़िया तेरी नज़रकी  लाज रखने  के लिए

होशमे  होते हुवे मदहोश होजाना  पड़ा ….3

हुस्नने जिस वक्त उठाई अपने चेहरेसे  नकाब

मुझको अपने आपसे रूपोश होजाना  पड़ा …..4

आजकल्के पारसओंकी  रविशको देखकर

इन्तेकामन ” शाद “को मयनोश होजाना पड़ा 5

અમૃત ઘાયલની ગઝલ

મિલનસાર દાના જવર્લે  મળે  છે.

મનુષ્યો મઝાનાં જવર્લે મળે છે .

ફફડતા તરાના જવર્લે મળે છે .

પરીંદા પુરાના જવર્લે મળે છે.

નથી નિત્ય ફાંસીએ  જુલ્ફાં ફરકતાં

ફનાના  ફસાના જવર્લે મળે છે .

હમેશાં તો ક્યાંથી મુલાકાત થાએ

નવા નિત બહાનાં જવર્લે મળે છે .

બધા ગાલ મધ્યે નથી પડતાં ખંજન

ખુશીના ખજાના જવર્લે મળે છે .

ગુમાવ્યાની કરવી ઘટેના અપેક્ષા

ગએલા જમાના જવર્લે મળે છે .

નથી એમ મળતા અહીં જીવ” ઘાયલ ”

પરસ્પર દિવાના  જવર્લે મળે છે .

મનુભાઈ ત્રિવેદી “ગાફિલ “ની ગઝલ

જુદી જિંદગી છે   મિજાજે મિજાજે

જુદી બંદગી  છે નમાજે  નમાજે …..1

છે એક સમંદર થયું એટલે શું

જુદા છે મુસાફર જહાજે  જહાજે …..2

ભલે હોય એકજ તારેથી વ્હેતા

છે સૂરો જુદેરા રિયાજે  રિયાજે …….3

જુદા અર્થ છે શબ્દોના બોલવા પર

છે શબ્દોય જુદા  અવાજે અવાજે ….4

જીવન જેમ જુદાં છે કાયા પણ જુદી

છે મનુષ્યોય  જુદાં જનાજે  જનાજે ….5

હટી જાય ઘૂંઘટ  ઢળી  જાય ઘૂંઘટ

જુદી પ્રિત જાગે મલાજે મલાજે ……..6

તમે કેમ “ગાફલ “હજુ છો એ ગાફલ

જુવો દુનિયા બદલે  તકાજે  તકાજે ….7

એ….. બૂ મહારાજ્કું થોડા બકાલા લા દે

મેં મારી જિંદગીમાં  ચાલીને  બહુ  મુસાફરી  કરી છે .હું વાત કરીશ તો તમને નવાઈ  લાગશે .અરે તમને શું થોડાં વધુ  વરસ થશે તો મને  પણ નવાઈ  લાગશે .

એક વખત હું મારા સંસ્કૃત શિક્ષક કે જેને અમે ગુરુજી  કહેતા  હવે હું મારા શિક્ષા  ગુરુને  એકલા ગુરુનું સંબોધન કરું છું .કેમકે  સંસ્કૃત સાહિત્યમાં નામનીપાછળ  “જી”લગાડેલો શબ્દ આપને વાંચવા નહિ મળે . આ મારા ગુરુજી હવે નિવૃત થઇ ગએલા .અને પોતાની  વિશાલ જગ્યા વાળા વિલાયતી નળિયા વાળા મકાનમાં  પત્ની સ્વર્ગે ગયા પછી એકલા રહેતા હતા  તેઓએ એક હલકી જાતની કહેવાતી  વિધવા બાઈને કામવાળી  તરીકે રાખેલી .ગુરુજી જરાક વધુ પડતા રૂઢી ચુસ્ત ધાર્મિક માણસ  હતા .તેના માટે બહુ સારી ભાષા ન વાપરીને કહેવું  હોયતો “વેદિયા ” કહેવાય ,કામવાળી રસોઈ કરે પણ રોટલી દૂધમાં લોટ બાંધીને કરે કેમકે પાણીથી લોટ બાંધીને રોટલી કરે તો અભડાય જવાય ,એવી રીતે દાળ ,શાકમાં મીઠું નાખેતો અભડાય જવાય એટલે દાળ શાકમાં મીઠું ગુરુજી પોતે નાખે .કામવાળી બાઈ બહુ ધાર્મિક વૃતિની અને પ્રમાણિક  હતી. આવા મારા ગુરુજીને મળવા માટે મારા ગામ  દેશીગાથી સવા રૂપિયો રેલ્વે ભાડું બચાવવા પગે ચાલતો રવાના થયો .તે જમાનામાં દસ આનાનું  શેર ઘી મળતું .મારી માએ  સુખડીનું  ભાતું  બાંધી આપ્યું .એક થેલીમાં ધોતી ઝભો નાતી વખતે પહેરવા પંચિયું એક ટુવાલ ભરી દીધાં  એક કળશિયો  પાણી પીવા આપ્યો .આ બધું લઈને  હેમતરામ  ગુરુ દર્શને જવા રવાના થયા .ગુરુજીનું ગામ ત્રણેક ગાઉ દુર હશે ત્યારે એક વાડી દેખાણી ,ગુરુજી માટે હું થોડી શાકભાજી લઈજાઉં એ ઈરાદાથી  હું વાડીયે ગયો .જોયું તો ઝાડ નીચે ખાટલા ઉપર એક બાર તેર વરસનો છોકરો બેઠો હતો .આ વાડી બલોચ જાતિના  મુસલમાનની  હતી .હું  છોકરા પાસે ગયો .અને તેને પૂછ્યું અહી તારી મા કે બાપ  છે?છોકરો પોતાની ભાંગી ગએલી ઉર્દુ ભાષામાં બોલ્યો .મેરે માબાપ હાજર નહિ હે તુમારે ક્યા કામ થા ?મેં કીધું મારે શેર બશેર જેટલી શાકભાજી જોઈએ છીએ .છોકરે  વાડીમાં નિંદામણ કરતી, એની આઠેક   વરસની  બેનને  બૂમ પાડી ,”એ …..બૂ મહારાજ્કું થોડા બકાલા લાદે “છોકરી થોડી વારમાં રીંગ ણાં મરચાં અને ટમેટાની ટોપલી ભરી લાવી .મેં કીધું મારે એટલા બધા નથી જોતા ફક્ત બશેર જેટલાં જોઈએ છીએ મારે આટલું બધુંલઇ  જવાની સગવડ પણ નથી .સંભાળીને ઉદાર માબાપની સંસ્કારી છોકરીએ એના ભાઈને પૂછ્યું ,મેરી  ઓઢણીમેં   બાંધ દઉં ?છોકરીને  એ વિચાર નો આવ્યો કે હું ઉઘાડે માથે ઘરે જઈશ તો મારાં માબાપને જવાબ જવાબ શું આપીશ .પછીમેંજ  મારું પંચિયું થેલીમાંથી કાઢી અને એમાં નાખવા કીધું .અને મારા ખિસ્સામાંથી બે આના કાઢીને છોકરાને આપવા ગયો. છોકરો  રુવાબથી બોલ્યો મેં વાડીકા  માલિક હું બકાલી નહિ હું તુમારે પૈસે દેને  હો તો બકાલીકે પાસ જાઓ ઓર મેરા બકાલા  વાપસ લોટાદો  . હું તો બેન ભાઈની ઉદારતા ઉપર વારિ ગયો .દીઆથમે  ગુરુજીને ઘરે પહોંચ્યો .ગુરુજીને હું પગે લાગ્યો . ગુરુજીએ મારી પીઠ ઉંપર હાથ મુક્યા .અને બોલ્યા તેતો મને બહુ રાજી કરી દીધો . ગુરુજીની  થોડીક રમુજી વાતુ કહેવી પડશે .ભલે મને હું સ્વર્ગમાં જાઉં ત્યારે મારા ઉપર ખિજાય ,ગુરુજીને પોતે બીજાના  કરતાં કૈક વિશેષ છે .એવું બતાવવાનો ઘણો શોખ હતો અમે ભણતા ત્યારે એકપ્રાયમાસનો જાદુ કરતા લોકોનું મુહુર્ત જોવાનું પણ કામ કરતા એક વખત એક કહેવાતી હલકી જાતનો માણસ મુહુર્ત જોવડાવવા ગુરુજી પાસે આવ્યો ગુરુજીએ મુહુર્ત જોયું ગુરુજીએ તેને પૂછ્યું શું ધંધો કરે છે એટલે તે ભાઈ  બોલ્યો  હું દવા તરીએકે વપરાય એવા તેલ બનવું છું .ક્યાં પદાર્થમાંથી તેલ બનાવે તે બોલ્યો ગરુજી તમે ભર્માના પુતાર્તામને કહેવું મને યોગ્ય નથી લાગતું અમે કાટીયું વરણ તમને કહેવાનુકે દેખાડવાનું મન નથી થતું ગુરુજીએ કીધું દેખાડ દેખાડ  હું પણ ઘણી જાતના તેલ બનાવું કાટી યા વરને સાંધો સાઢો દેખાડ્યો અને ગુરુજી પોતિયું ફગ ફગાવતા ભાગ્ય।