દેશીંગાનો ઈતિહાસ #14

દેશીંગાના  દેવસ્થાનની વાત કરુંછું ભાદરને કાંઠેથી ગામમાં આવતાં  ખુલ્લા આકાશ નીચે જમીન ઉપર  કાનજીબાપાએ પધરાવેલા ઘંટેશ્વર મહાદેવ આવે .કાનજીબાપા   નદીમાં સ્નાન કરીને આવે સાથે એક પાણીનો કળશિયો  પાણીનો ભરતા  આવે અને ઘંટેશ્વરને ચડાવે .પછી ગામમાં પ્રવેશ કરે અને દરરોજ નહીં પણ કોઈ વખત શિવમંદિરમાં  શિવજીને પણ પાણી પાણી ચડાવે અને પછી ઘરે શિવલિંગ કે પોતે ઓટા ઉપર સ્થાપિત કરેલા છે .તેને ચડાવે .ગામના દરવાજાને અડીને જમણી બાજુ એક મૂર્તિ છે તેના પાસે હળ છે જે ક્ષેત્ર પાળ અથવા ખેતરપાળ તરીકે ઓળખાય છે .દરવાજામાં (ઝાંપા માં )પ્રવેશ કરો એટલે ડાબી બાજુ શિવમંદિર આવે આ મંદિરના દરવાજા બહાર જમણી બાજુ ગણપતિ બાપની મૂર્તિ છે .સાથે એનું વાહન ઉંદર છેકે નહિ એ મને યાદ નથી ન હોયતો કંઈ વાંધો નહિ .જીવિત ઉંદર ઘણા ફરતા હોય છે .ગણપતિ બાપાને ક્યાંય જવું હોયતો તુરત મળી આવે .ગણપતિબાપાની સન્મુખ હનુમાન દાદા છે જેની મૂર્તિ નથી પણ લંબચોરસ પત્થર છે. શિવમંદિર ની સામી બાજુ રામમંદિર છે .જે ચોરા તરીકે ઓળખાતો ચોરા ઉપર જવાના પગથીયાં ચડતાં એક દેવ બિરાજમાન છે .એ ક્યાં દેવ કે દેવી છે એની મને ખબર નથી .અને હું માનું છું ત્યાં સુધી ગામમાં કોઈને ખબર નહિ હોય .શિવમંદિરની પાછળ જ્યાં અતીત બાવાઓની પત્નીઓને મૃત્યુ પછી દાટવામાં આવતી એ જગ્યાએ એક દિવો કરવાના ગોખલા વાળી સમાધિ છે તે કાનજીદુર બાપાના સૌ થી નાના દીકરા ચીના બાપાની છે .એનો જાણવા જેવો છે જે હું કહું છું એક વખત વરસાદની એલી થઇ .નદીમાં જબરદસ્ત પુર આવ્યું આવી પરિસ્થિતિમાં ચીના બાપા મૃત્યુ પામ્યા .ઓલો દોહરો છે કે “કામી  કળ (કુળ )ન ઓળખે   લોભી ન ગણે લાજ  મરણ વેળા ન ઓળખે ભુખ ન ગણે અખાજ ” આ દોહરો મેં ડોશા બાપા  કંડો રિયા  પાસેથી (ડોસા પીઠા ) સાંભળેલો છે .જે  દેશીંગા ના હતા .પછી ન છૂટકે ચીના બાપા ને ન છૂટકે દાટી દેવા પડ્યા  ચીના બાપા બહુ ઝઘડાળું  હતા .અને દટાઈને  દેવ બનીગયા .અમારા કુટુંબના કોઈ સભ્યની જનોઈ દેવાય કે લગ્ન થાય તો ચીના બાપાની સમાધીયે પ્રણામ કરવા જવું પડે આ ચીના બાપાની સમાધિનો ઈતિહાસ મારા સિવાય કોઈ નહિ જાણતું હોય .જયારે  દેશીંગા ગામ વસ્યું  ત્યારે  ગામ વચ્ચે એક દાડ મા  બાપાની સ્થાપના કરી .મૂર્તિને બદલે એક મોટો પત્થરો મુકી દીધો .દાડમા    બાપાને ઘોંઘાટ પસંદ નથી એટલે લુહાર,સુતાર ,કુંભાર ,મોચી વગેરે કારીગરોને   દાડમા બાપાથી દુર  ધંધો કરવો પડે .બાબી દરબારો આવ્યા પછી પોતાનું  ઘર ગામ વચ્ચે બનાવ્યું તેઓએ દાડમા બાપાને પોતાના ઘર અડીને રહેવા દિધા કાઢ્યા નહિ . પછી નવરંગ ખાં  બાપુએ કોઈની  શીખવણીથી  દાડમા   બાપાંને દુર કાઢ્યા .પછી પરિસ્થિતિ બદલાણી રાજાઓના રાજ ગયા  દાડમા  બાપાએ દરબારો કાઢ્યા અને બાપા પોતાની મૂળ જગ્યાએ બેસી ગયા .પછી ગામ બહાર નીકળો એટલે ચારણ આઈનું સ્થાન રત્નાગર ને  કાંઠે આવે તેની વાત મેં શરુઆત માં ઈતિહાસ લખતી વખતે કરી દીધી છે .પછી   થોડે દુર સમેગાને માર્ગે ઘોડલ પીર આવે .તે બાબતનો મારો લેખ જર્સી સીટી થી પ્રસિદ્ધ થતા મેગેજીન “વતન “માં છાપએલો છે .જેની કોપી મેં દેશીંગામાં કોઈને આપી છે.એનો ઈતિહાસ ટુંકામાં કહું છું એક ઘોડેસવાર ડાકુએ દેશીંગાની પનિહારી બેનોના ઘરેણાં લુંટી કરારના મોલાત ઉભેલા  ખેતરો તરફ ભાગી ગયો ગામના જુવાનો એને પકડવા પાછળ પોતે ઘોડાના કારણે પકડાય જશે એવી બીક  .લાગવાથી ઘોડાને ધારા તીરથ  દીધી .મતલબકે તલવારના ઝાટકે ઘોડાની ગરદન કાપી નાખી અને લુટારો પોતે આબાદ છટકી ગયો .ઘરે ગયા પછી એનું મન પરિવર્તન

One response to “દેશીંગાનો ઈતિહાસ #14

  1. aataawaani સપ્ટેમ્બર 29, 2012 પર 4:41 પી એમ(pm)

    સુરેશભાઈ કેવીરીતે મથાળું બનાવવું , એની મને સમજણ નથી પડતી .મારે દેશીંગાનો ઈતિહાસ પૂરો કરવો છે.એટલે લખ લખ કરું છું .દેશીંગા ના છોકરા બૂક છપાવવાની વાતો કરે છે.
    હવે મરકી આવેલી જેને દેશીંગાના માણસોએ કડ કડિયો નામ આપેલું. એક ભયંકર પુર આવેલું એની વાત અને દરબારોએ કેવા કાયદા લાદેલા ,એ વાત લખવી છે.પછી પૂર્ણ કરીશ .
    हुवे नाम और बेनाम कैसे कैसे
    कड़ कडिया खा गया जवान कैसे कैसे

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: