Daily Archives: સપ્ટેમ્બર 27, 2012

દેશીંગાનો ઈતિહાસ – ૧૨ ; કાનજીબાપા

દેશીંગા માં  પિંજારા ,  મેમણ, લુવાણાના ઘર પણ હતાં .પણ પછી એલોકો બહાર ગામ રહેવા જતા રહેલા હાલ ફોગાભાઈ રહે છે ,એ મેમાંનનું ઘર હતું .ધનજીભાઈ   જુલાસના રહે છે એ  ઘરમાં લીલાધર  લુવાણા  રહેતા પણ  હવે નથી કોળીના   (ઘેડીયા )ઘર હજી છે.પછી  મારા  ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપા અને એમના પત્ની સુંદરમાં દેશીંગા માં ગરેજ ગામથી રહેવા આવ્યા . ગરેજ્માં મેર યજ્માંનોમાં  કોઈ ધાર્મિક ક્રિયા થાય તો જે ગોર હાજર હોય તે  વિધિ પતાવી આવે અને પછી એમાં દરેક ભાઈઓના ભાગ પડે .દરેક બ્રાહ્મણો પાસે ખેતીની જમીન હતી આ જમીન  યજમાનોએ પોતાના પિતૃ ઓની  પાછળ દાનમાં આપેલી હતી .એટલે બધા ખેતીવાડીના કામમાં  હોય  એટલે જે ભાઈ નવરો હોય એ યજમાનોનું  ધાર્મિક પ્રસંગ  કરી આવે અને પછી જે આવક થઈ હોય એમાં દરેક ભાઈઓના ભાગ પાડવામાં આવે  આમ ભાગ પાડવામાં ઝઘડા થતા .એટલે આવા ઝઘડાથી અને યજમાન્વૃતીથી  કંટાળી  બધું છોડીને  નોકરી કરવાના હેતુથી દેશીંગા આવ્યા .અને દરબારને મળ્યા અને પોતાને કોઈ પ્રકારની નોકરી માં  રાખી લેવા દરબારને વાત કરી .

દરબારે કાનજીબાપા નો  કદાવર બાંધો,, કરડો ચેહરો,પહાડી અવાજ ભરાવદાર  મૂછો જોઈ દરબારને પોતાના અંગ રક્ષક  રાખવાનો વિચાર થઇ ગયો .અને પછી પોતાના અંગ રક્ષક તરીકે રાખી પણ લીધા .પગારમાં  ખેત પેદાશ માં દરબારને ખેડૂતો તરફથી જે મળે એમાંથી કાનજી બાપાને જરુર પુરતું આપે. દરબારોની બહેનો દિકરીયોની  જે બાબી ભાયાતો ને આપેલી હોય તેમની ખબર અંતર પૂછવા કોઈ વખત કાનજી બાપાને જવું પણ પડે .દરબારે કાનજીબાપા ને એક મોરનાં ઈંડાં જેવી સફેદ અને તેજ ચાલે ચાલનારી એક ઘોડી અને એક શિરોહીની તલવાર આપેલી રહેવા માટે ઘર બાંધવા અને બીજા વપરાશ માટે  ગામની પૂર્વ દિશાએ જેટલી જોઈએ એટલી જમીન લેવા માટે કાનજીબાપાને કહ્યું .કાનજી  બાપાએ જરૂર પુરતી જમીનલીધી .ઘર બાંધવા માટે ગામના ખેડૂતોએ ખુબ મદદ કરી કાનજી બાપાએ એક ઘર બનાવ્યું અને ઘર પાછળ ઘોડી માટે  એક ઢાળ યું  બનાવ્યું .ઘર આગળના ભાગે ડેલો બનાવ્યો .અને થોડો ભાગ વાડા તરીકે ખ્લ્લો રાખ્યો  .વાડા અને ઘર વચ્ચે  ઉંચી દિવાલ ચણી અને વચ્ચે  ખડકી મૂકી . એક રાતે ઘોડી ચોરવા સિંધીઓ આવ્યા .એક માણસને ખડકી પાસે ઉભો રાખ્યો .અને એવીરીતે એકાદને ગામ તરફ રાખ્યો . અને બાકીના ઘોડી છોડવા ગયા .ચોરને જોઈ ઘોડી હણ હણ વા માંડી એનો અવાજથી સુંદરમાં  જાગી ગયાં અને તેમણે કાનજી બાપાને જગાડ્યા ,અને કીધું કે ઘોડી અવાજ કરે છે .કોઈ ચોર આવ્યા લાગે છે .કાનજી બાપા સફાળા ઉઠયા .હાથમાં  ખુલ્લી તલવાર લઈને વાડા ની વંડી કુદીને વાડામાં ગયા ખડકી પાસે ઉભેલા ચોર ને જોઈ જોઈ એક પળનો પણ વિચાર કર્યા વિના ચોરને જનોઈ વઢ  તલવારનો ઝટકો માર્યો .ચોર ધડિમ કરતો નીચે પટકાઈ પડ્યો .એ અવાજ સાંભળી ચોર ઘોડી ચોરની પડતી મુકી એકદમ  ભાગ્યા એમને એવોભય પેઠો હશે કે આ દરબારી ગામછે  જામગરી લઈને માણસો વછૂટશે તો આપણ ને એકેયને જીવતા જવા નહિ દ્યે  પોતાના ભેરુબંધની લાશ લેવા પણ રોકાણા નહિ .પછી કાનજી બાપા મોઢામાં તલવાર લઈ વંડી ઉપર ચડીને ઘરે આવ્યા .અને તુર્ત દરબારને  આ ચોરને મારી નાખવાની વાત કરી .બાપુ બહુ ખુશ થઈને કાનજી બાપાને ભેટ્યા  અને પછી કાનજી બાપાની  પીઠ થાબડી શાબાશી આપી ,અને ઇનામમાં જમીન આપવાની જાહેરાત કરી પણ પણ

મારા વાલા તું આવકારો મીઠો દેજે

હેજી તારે આંગણીએ કોઈ આશા  કરીને તો આવકારો મીઠો આપજે  રે ..જી

હેજી તારે કોઈ સંકટ જો સંભળાવે તો બનેતો  થોડાં  કાપજે  રે।.જી …..1

માનવીની પાહે કોઈ દી માનવી નો આવે તારા દિવસો જોઈ દુખીયારા આવે રે ….આવકારો 2

કેમ તમે આવીયા  છો એવું નવ પૂછજે ઈને હરવે હરવે તું બોલવાને દેજે  રે ……આવકારો 3

વાતુ ઈની  સાંભળી તું આડું  નવ જોજે ઈને માથું તો હલાવી હોંકારો દેજે રે ……આવકારો  4

“કાગ “ઈને પાણી  પાજે સાથે બેસી  ખાજે ઈને ઝાંપા સુધી વળાવવા  તું જાજે રે  ….આવકારો 5