દેશીંગાનો ઈતિહાસ – ૧૧; શામજી બાપા

જુના વખતમાં દેશીંગામાં અને આજુબાજુના  મરમઠ વગેરે ગામોમાં શોઢા ણા ,વડારા ,ખોનપર . વગેરે ગામોમાં રહેતા સંધીઓનો  બહુ ઉપદ્રવ હતો .લોકોના બળદ લઇ જાય ,માણસો ને લઈ જાય અને પૈસા પડાવે અને પૈસા આપ્યા પછી મુક્ત કરે .એકવખત  અંબાવી ભાઈના દાદા શામજી બાપાનો ખુંટીયો લઇ ગયા .ખોનપર ગામના સંધી ખોનપરમાં ભાટ દરબારોની પણ વસ્તી હતી .આ જમાનામાં દેશીંગા માં  મણવર શાખાના પટેલ ઉપરાંત  જુલાસણા ,દેસાઈ  વગેરે શાખાના પટેલો પણ રહેતા હતા . શામજી બાપા પૈસા લઈને ખુંટીયો છોડાવવા  ખોનપર ગયા .ત્યાં પૈસાની લેવડ દેવડ બાબત સંધીઓ સાથે શામજી બાપાને  રક જક થઇ .એમાં પટેલોના જાતિ સ્વબાવ પ્રમાણે શામજી બાપા સંધિઓ ઉપર ગુસ્સે થઇ ગયા.પટેલો ખેતી કરનારા ભગવાન સિવાય  કોઇથી ગભરાય નહિ .શામજી બાપા એ  ક્રોધના આવેશમાં સંધીઓને કહ્યું  દીકરાઓ  હું કુતિયાણા  જઈને તમારા વિરુધ ફરિયાદ કરવાનો છું અને તમને જેલ ભેગા કરાવવાનો છું .જો હું  તમને જેલ ભેગા ન કરાવું તો હું શામજી નહિ .એમ બોલી શામજી બાપા ચાલતા થઇ ગયા .એટલે સિંધી ઓએ બોલાવ્યા ,અને કહ્યું .અરે પટેલ ફરિયાદ બરીયાદ  કરવાની જરૂર નથી .જેટલા પૈસા લાવ્યા હોય એટલા પૈસા આપી દ્યો અને ખુંટીયો  લઈજાવ  જાવ કોડમાં બાંધ્યો છે . શામજી બાપા જેવા કોડમાં ગયા કે તુરત સંધિઓ તિક્ષ્ન  હથિયારો સાથે શામજી બાપા ઉપર ટૂટી પડ્યા અને શામજી ને મારી નાખ્યા .શામજી બાપાએ બચાવ માટે બુમો પાડેલી જે બુમો પડોશમાં રહેતા ભાટોએ સાંભળેલી   ભાટો  છોડાવવા જાય એ પહેલા શામજી બાપાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું .શામજી બાપાએ પૈસા, પોતાનો જીવ ,   અને ખુંટીયો  ખોયાં .ભાટે દેશીગા જઈ શામજી બાપાના  માઠા સમાચાર આપ્યા .અને કહ્યું કે તમો સિંધી વિરુદ્ધ ફરિયાદ કરો અમે સાક્ષી આપીશું .પણ શામજી બાપાના કુટુંબી ઓએ  ભાટ ને જવાબ આપ્યો કે હવે ફરિયાદ કરવાનો કઈ અર્થ નથી જે ભાગ્યમાં માંડ્યું હતું તે થયું ફરિયાદ કરીને અમારે સિંધીઓ  સાથે વેર  બાંધવું નથી .   એક વખત  માલદે બાપાના બળદ શોઢાણા ના સિંધીઓ લઈગયા (માલદે વાઘા કંડોરિયા )માલદે બાપા પૈસા આપી બળદ છોડાવી આવ્યા અને પછી કુતિયાણે  જઈ ફરિયાદ કરી અને નથુ હમીર અને બીજા બે સિંધીઓને  જેઈલ ભેગા કરાવ્યા .પોલીસ પટેલો પાસે શકદારો ના  લીસ્ટની ચોપડી હોય  છે એમાં મેં આનામ વાંચેલા એક વખત પાટી વાળા જુલાસણા  પંચાણ  હરિને  સિંધીઓ લઈ ગએલા .પણ પંચાણ   ભાઈ   મોકો જોઈ  સિંધીની બે દરકારીનો  લાભ લઈ ભાગી આવેલા .એવી રીતે મરમઠ ના હરિ ડાયા પણ ભાગી આવેલા  એક વખત  મોહન ભાઈના બાપ  જીણા ભાઈને ખુબ માર મારીને લઈ ગએલા માર મારવાનું કારણ એ હતું કે  જીણા ભાઈ એવું સમજેલા કે ગામના છોકરાઓ  ગાજર ચોરવા આવે છે .એમ સમજીને  ગાળો આપેલી . મિત્રો  થોડું  બીજા #12 ઉપર વાંચવા કૃપા કરજો અને ગુજરાતીમાં  અભિપ્રાય આપજો.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: