Daily Archives: સપ્ટેમ્બર 26, 2012

દેશીંગાનો ઈતિહાસ – ૧૧; શામજી બાપા

જુના વખતમાં દેશીંગામાં અને આજુબાજુના  મરમઠ વગેરે ગામોમાં શોઢા ણા ,વડારા ,ખોનપર . વગેરે ગામોમાં રહેતા સંધીઓનો  બહુ ઉપદ્રવ હતો .લોકોના બળદ લઇ જાય ,માણસો ને લઈ જાય અને પૈસા પડાવે અને પૈસા આપ્યા પછી મુક્ત કરે .એકવખત  અંબાવી ભાઈના દાદા શામજી બાપાનો ખુંટીયો લઇ ગયા .ખોનપર ગામના સંધી ખોનપરમાં ભાટ દરબારોની પણ વસ્તી હતી .આ જમાનામાં દેશીંગા માં  મણવર શાખાના પટેલ ઉપરાંત  જુલાસણા ,દેસાઈ  વગેરે શાખાના પટેલો પણ રહેતા હતા . શામજી બાપા પૈસા લઈને ખુંટીયો છોડાવવા  ખોનપર ગયા .ત્યાં પૈસાની લેવડ દેવડ બાબત સંધીઓ સાથે શામજી બાપાને  રક જક થઇ .એમાં પટેલોના જાતિ સ્વબાવ પ્રમાણે શામજી બાપા સંધિઓ ઉપર ગુસ્સે થઇ ગયા.પટેલો ખેતી કરનારા ભગવાન સિવાય  કોઇથી ગભરાય નહિ .શામજી બાપા એ  ક્રોધના આવેશમાં સંધીઓને કહ્યું  દીકરાઓ  હું કુતિયાણા  જઈને તમારા વિરુધ ફરિયાદ કરવાનો છું અને તમને જેલ ભેગા કરાવવાનો છું .જો હું  તમને જેલ ભેગા ન કરાવું તો હું શામજી નહિ .એમ બોલી શામજી બાપા ચાલતા થઇ ગયા .એટલે સિંધી ઓએ બોલાવ્યા ,અને કહ્યું .અરે પટેલ ફરિયાદ બરીયાદ  કરવાની જરૂર નથી .જેટલા પૈસા લાવ્યા હોય એટલા પૈસા આપી દ્યો અને ખુંટીયો  લઈજાવ  જાવ કોડમાં બાંધ્યો છે . શામજી બાપા જેવા કોડમાં ગયા કે તુરત સંધિઓ તિક્ષ્ન  હથિયારો સાથે શામજી બાપા ઉપર ટૂટી પડ્યા અને શામજી ને મારી નાખ્યા .શામજી બાપાએ બચાવ માટે બુમો પાડેલી જે બુમો પડોશમાં રહેતા ભાટોએ સાંભળેલી   ભાટો  છોડાવવા જાય એ પહેલા શામજી બાપાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું .શામજી બાપાએ પૈસા, પોતાનો જીવ ,   અને ખુંટીયો  ખોયાં .ભાટે દેશીગા જઈ શામજી બાપાના  માઠા સમાચાર આપ્યા .અને કહ્યું કે તમો સિંધી વિરુદ્ધ ફરિયાદ કરો અમે સાક્ષી આપીશું .પણ શામજી બાપાના કુટુંબી ઓએ  ભાટ ને જવાબ આપ્યો કે હવે ફરિયાદ કરવાનો કઈ અર્થ નથી જે ભાગ્યમાં માંડ્યું હતું તે થયું ફરિયાદ કરીને અમારે સિંધીઓ  સાથે વેર  બાંધવું નથી .   એક વખત  માલદે બાપાના બળદ શોઢાણા ના સિંધીઓ લઈગયા (માલદે વાઘા કંડોરિયા )માલદે બાપા પૈસા આપી બળદ છોડાવી આવ્યા અને પછી કુતિયાણે  જઈ ફરિયાદ કરી અને નથુ હમીર અને બીજા બે સિંધીઓને  જેઈલ ભેગા કરાવ્યા .પોલીસ પટેલો પાસે શકદારો ના  લીસ્ટની ચોપડી હોય  છે એમાં મેં આનામ વાંચેલા એક વખત પાટી વાળા જુલાસણા  પંચાણ  હરિને  સિંધીઓ લઈ ગએલા .પણ પંચાણ   ભાઈ   મોકો જોઈ  સિંધીની બે દરકારીનો  લાભ લઈ ભાગી આવેલા .એવી રીતે મરમઠ ના હરિ ડાયા પણ ભાગી આવેલા  એક વખત  મોહન ભાઈના બાપ  જીણા ભાઈને ખુબ માર મારીને લઈ ગએલા માર મારવાનું કારણ એ હતું કે  જીણા ભાઈ એવું સમજેલા કે ગામના છોકરાઓ  ગાજર ચોરવા આવે છે .એમ સમજીને  ગાળો આપેલી . મિત્રો  થોડું  બીજા #12 ઉપર વાંચવા કૃપા કરજો અને ગુજરાતીમાં  અભિપ્રાય આપજો.

દેશીંગા નો ઈતિહાસ – ૧૦ ; નથુબાપા

દેશીંગાના  મેઘવાળ ભાઈઓ દબા એલા  નોતા પાણીદાર  હતા .એના એકાદ બે કે વધુ હું દાખલા આપુંછું .એક નથુબાપા  હતા . કોઈ કારણસર મારા બાપા સાથે જીભાજોડી થઇ રહી હતી .હું વગર વિચાર્યું કરવા વાળો મુર્ખ પંદરેક વરસનો છોકરો બાજુમાં ઉભો હતો ,હું નથુ બાપાને મારવા ધસ્યો .જેમ અમદાવાદમાં  મારી સાથે ઝઘડો કરનારનેમારો  દિકરો  હરગોવિંદ  મારવા ધસેલો અને મેં   તેને ખીજાયને  પાછો કાઢેલો એમ મને મારા બાપાએ હું નથુ  બાપાને માર વા  જતો હતો .ત્યારે પાછો કાઢેલો .પછી નથુ બાપા એવું બોલીને પાછા જતા રહેલા કે તમે ભામણ  છો એટલે જવા દઉં  છું નહિતર તમને હું મારી નાખત .એવું બોલી નથુ બાપા પોતાને ઘરે જતા રહયા અને મારા બાપા પણ ઘરે આવતા રહેલા .આ પ્રસંગે ભેગા ભેગી મારા નાનાદિકરા  સતીશની વાત કહી દઉં .ભાનુમતી ને  કારણે એક પોલીસ સાથે મારે બોલચાલ થઈ રહી હતી .મારા ઘર સામેજ .હું એ પોલીસનાં  લાડ ઉતારી નાખું એમ હતો .પણ મારે અમેરિકા આવવાની તૈયારી ચાલી રહી હતી .જો મારા ઉપર કેસ થાયતો મને અમેરિકન સરકાર વિસા નો આપે .પણ ઘરની ઓસરીમાં ઉભેલા સતીશે મારી સાથે ઝઘડો કરનારના માથામાં પાટીયાનો ઘા માર્યો અને લોહી લોહાણ  કરી નાખ્યો .હવે મુળ વાત ઉપર આવું છું .થોડી વારે થોડા મેઘવાળ ભાઈઓ મારે ઘરે આવ્યા .અને મારા બાપાને કીધું કે નથુ ભાઈ તમારી માફી માગવા  આવવાનું કહે છે .એટલે તમે કહો ત્યારે આવે .મારા બાપાએ જવાબ દિધો કે નથુ ભાઈ મને ભામણ સમજે છે તો મારે એને યજમાન સમજવા જોઈએને ?જાવ નથુ ભાઈને કહીદો કે માફી માગવા આવવાની  જરૂર નથી મેં માફી આપીજ દિધી છે.એક વખત હુસેન મહમદ ખાં  દરબારે  જંગલના બાવળો નું  રક્ષણ  કરવા ચોવ્ટા ગામના સંધી જુવાન ઇસ્માલને નોકરીમાં રાખ્યો .એકવખત  ખીમોભાઈ મેઘવાળ બાવળ કાપી રહ્યો હતો .ઈસ્માલ ખીમાભાઈ ને પકડવા ગયો .ખીમા ભાઈએ ઇસ્માલની ડોકી પકડી આઘો હડસેલી મુક્યો.ઇસ્માલે  બનાવની દરબાર  આગલ વાત કરી દરબાર ઈસ્માલ ઉપર   ખીજાણા અને પછી  ખીમાને બોલાવી ઈસ્માલ પાસે થોડોક માર ખવડાવ્યો .હુસેન મહમદ ખાં નું મકાન બની રહ્યું હતું  એમાં ધાબો નખાતો હતો .જેને ટિપ્પણી કરી કહેવાય .ટિપ્પણી ચાલતી હોય ત્યારે ઢોલ વાગતો હોય રાસડો ગવાતો હોય અને એના તાલમાં  ટિપ્પણી પડતી હોય .એક જાતનું નાચગાન થતું હોય એવું દૃશ્ય  સર્જાય ,ચોરવાડ ગામના કોઈ ભેજાબાજે  આને નૃત્યનું રૂપ આપ્યું .જે ટિપ્પણી નૃત્ય તરીકે ઓળખાય છે.આ યુગમાં  હવે સિમેન્ટ કોકરેટ આવી ગઈ એટલે ધાબા વાળી વાત ગઈ .હુસેન્ મહમદ ના મકાનમાં જયારે ધાબું પડતું હતું .ત્યારે કુતીયાણા થી જુમ્માની ઢોલ વગાડનાર અને રાસડો ગાવા વાળાની પાર્ટી આવેલી .ટિપ્પણી નાખનારાં મેઘવાળ ભાઈબેન હતા .એમાં એક ચના ભાઈ પણ હતા .મારાજેવા રેઢી યાળ છોકરા પણ ટિપ્પણી જોવા જાય મારા  મિત્ર દાદા બાપુ પણ હતા .”ઓધવજી મારે ઘર પછવાડે મોહન મોરલી બજાવેજો”આ તાલમાં ઢોલ વાગતો હતો .એમાં એક ગાવા વાળા ને કમત સુજી .એણે એક જુવાન છોકરીની છેડતી કરી એટલે તુરતજ ચનાભઈએ  છેડતી કરનારને  ટિપ્પણી જીકી દીધી .મારખાનારે દાદાબાપુ આગળ ફરિયાદ કરી અને તોછાડાયથી  બોલ્યો .બાપુ આપકે રાજમે ઢેડે મારજાવે  હદ હો ગઈ .અને પછી દાદાબાપુએ એવું બોલીને  ચના ભાઈને થપ્પડ મારીકે સાલા તું અહી ગોંડલ સમજી ગયો છે?એક વખત દેશા ભાઈએ દેશીંગા ના એક ખેડુ જુવાનને લાકડી મારી દીધેલી