દેશીંગાનો ઈતિહાસ- ૩; વાણિયા ભાભા

દેશીંગા ના ટીંબા ઉપર ચારણો વસ્યા પછી થોડા વખતમાં  પોતાનાં બકરાં લઇ સોરઠીયા રબારી વસવા આવ્યા.રબારીઓ એ  ગામની પૂર્વ દિશાએ  વિશાળ જગ્યા ઉપર  કબજો કરી અને ત્યાં વસ્યા .એક વખત રબારીઓ અને કોઈ વચ્ચે ધિંગા ણું  થયું ,એમાં ત્રણ રબારીઓ મરાણા .એ શુરવીરોના ઓટા ઉપર પાવરીયા  મુક્યા .દરબારો (બાબી )આવ્યા પછી રબારીઓની  વિશાળ જગ્યામાં સુતાર ,કુંભાર ,અને લુહારને વસાવ્યા .વખત જતાં રબારીઓ  દેશીંગા ગામ છોડીને બીજે બીજે રહેવા જતા રહેલા .પણ પ્રસંગો પાત પાવરીયાના  નૈવેદ્ય કરવા આવતા .એ મેં પણ જોએલા છે .જયારે રબારીઓ આવે ત્યારે પોતાની સાથે પુષ્કળ ઘી,ગોળ ,ચોખા અને  મગ  લઇ આવે .તેઓ  રબારીને ઘરે ન ઉતરતાં  અમારે ઘરે ઉતરે  મારી મા  રસોઈ બનાવીને જમાડતી આ લોકો આવે ત્યારેનદીએ કાંપ  નાખીને દાટી દીધેલા  પાવરીયા ખોદીને ચોક્ખા કરે અને સિંદુર વગેરે ચોપડે .નૈવેદ્યનું કામ પતી જાય પછી જમીને રાતે  ગામ બહાર દેડક માં સુવા જતા રહે .એક વખત જયારે પાવરીયા  ખુલ્લા કરેલા ત્યારે ગોવાભગતે  મને કહ્યું કે વાંચ જોઈએ પાવરીયા ઉપર શું લખ્યું છે ? મેં કહ્યું ગોવા ભાઈ એ લખાણ જૂની લિપિમાં  હોય છે .એટલે આપણાથી ઉકલી નો શકે .છતાં  હું કોશિશ કરું છું.એમાં સંવત  14સો  ઉપર લખેલી હતી .ગોવા ભગત બોલ્યા  જે દેવ મૂર્તિ કે આવા પાવરીયા પાનસો વરસથી જુના હોય એમાંથી દૈવત જતું રહ્યું  હોય છે . માટે એની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરાવી પડે . પછી  આશરે સાઠેક વરસ પહેલાં જે રબારીઓ  પાવરીયા પૂજવા આવતા તે લોકો પાવરીયા ખોદીને પોતાને ગામ લઇ ગયા છે.મારી એવી ઈચ્છા  છેકે  દેશીંગા ના  ભણેલા યુવાનોએ  પવારીયા હાલ ક્યા છે  એની તપાસ કરવી જોઈએ .અને એના ફોટા  બ્લોગ માં  મુકવા જોઈએ .મારા બાપાને ઘર બાંધવા જગ્યાદરબારે  આપેલી ત્યારે એક ખંઢેર  ત્યાં હતું .આ ખંઢેર એ એક રબારી ડોશીમાનું હતું .જે ડોશીમાં મૃત્યુ પામ્યા પછી દરબારે ખાલસા કરેલું .પાવરીયા ની વાત નીકળી  છે . તો ભેગા ભેગી  વાણીયા ના ભાભા  તરીકે ઓળખાતા   પાવરીયા ની  વાત કરી દઉં    ન ય ડ માં કોકના  ખેતરમાં  આ  પાવ રિયો  હતો . વાણિયા ની જાને  ખેતરમાં રાતવાસો  રહેવાનું નક્કી કરેલું  કોઈ ડાકુને ખબર ન પડે .એ માટે આમ કરેલું પણ ડાકુ લોકોને ખબર પડી ગઈ ,એ જાન લુંટવા આવ્યા .એક  વાણિયા ભાભા ને  શુર ચડ્યું .એણે વરરાજાની  તલવાર લઇ ડાકુઓ  સામે  ધિંગા ણું  આદર્યું .અને મરાણો .આ  પાવરીયા ને પૂજવા માંગરોળ બાજુથી  વાણીયા  આવતા .આ પાવરીયો પણ વાણીયા પોતાને ગામ લઈગયા છે .પાવરિયો   દરબાર મુજફ્ફરખાન  લઇ જવા નોતા  દેતા પણ હરીશ કર  ભાઈ વહીવટ દાર અને મારા બાપા કે જેઓ પોલીસ પટેલ હતા તેઓની સમજાવત થી બાપુ માની ગયા .અને પાવરિયો  વાણીયા લઇ ગયા  બાબી દરબારોના કેટલાક  રિવાજ  રાજ્પૂતો  જેવા હતા વિધવા વિવાહ ન કરવો , બ્રાહ્મણો નું સન્માન કરવું વગેરે  હવે વધુ  દેશીગાનો  ઈતિહાસ #4 ઉપર વાંચવા  કૃપા  કરશો

2 responses to “દેશીંગાનો ઈતિહાસ- ૩; વાણિયા ભાભા

  1. maldeahir98 સપ્ટેમ્બર 16, 2012 પર 9:55 એ એમ (am)

    Wah dada khub khub abhar
    Dada deshinga no etihas ghare ghare posto thay ana mate ni tyario salu 6e

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: