જેને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે.

ડાહ્ય માણસો અને અનુભાવીયોનું કહેવાનું છે. કે જેટલી સરળતા. નિખાલસતા ,પ્રેમભાવ .વનવાસી લોકોમાં હોય છે. એટલી ગામડા ના લોકોમાં નથી

હોતી ,અને ગામડાં નાં લોકો માં હોય છે .એટલી મોટા શહેરોના  લોકોમાં નથી હોતી. ભારતને  સ્વતંત્રતા આવ્યા પછી જયારે  દાંતા રાજ્ય  મર્જ થયું ,

ત્યારે  બાહોશ  પોલીસોને  અમદાવાદ  જેવા  શહેરોમાંથી  બોલાવવામાં  આવેલા જેમાં  એક હું હતો .મને અને બીજા  કેટલાકને  અંબાજી  પોલીસ  સ્ટેશન માં  મુક્યા .અહી પોલીસને  કરવા જેવું કામ નહિ .અને  દાંતા બાપુએ  નિમણુંક  કરેલા સ,ઇન્સ.વગેરે  હતા તેઓને  મારફાડ ,ધાકધમકી સિવાય બીજું કાયદાનું  કોઈ જ્ઞાન  નહિ .અમારી પાસે કેવી રીતે કામ લેવું .એ આવડે  નહિ .અમને ફોજદારે એવું કીધેલું કે  જાત્રાળુ ને માર્ગદર્શન  આપવું ,કોઈ વસ્તુ જાત્રાળુ  ભૂલી જાય એ વસ્તુ  તમારે પોલીસ સ્ટેશન  લઇ આવીને મને  સોંપવી અને જાત્રાળુ ને વસ્તુ લેવા માટે મારી પાસે મોકલવા .

હુંતો વનવાસી સાથે ભાઈબંધી કરતો જંગલનાં  ગામડાઓમાં  ફરતો ફરું .મને  પાન્સા ગામનો હોલો મુખી હજી યાદ છે.રીન્છડી ગામનો કિશનો પારગી કુંભારિયા ગામનો  કિશનો કે જે કુંભારિયા ગામના મુખીનો દિકરો  હતો .પણ કોટેશ્વર ગામનો  ચુનીયો બહુ યાદ રહી ગયો છે .જેના પ્રેમની વાત હું આપ સહુની જાણ ખાતર  હું અહી  લખું છું .

એકાદ વરસ અંબાજીમાં  નોકરી કર્યા, પછી ભવિષ્યમાં મારાં સંતાનોને ભણવાની સગવડ રહે .એ માટે મેં મારી અંબાજીથી  બદલી કરાવી ,હું અમદાવાદ આવ્યો .એક વખત હું સાતેક વરસની ઉમરના દિકરા હરગોવિંદને   લઈને અંબાજી આવ્યો .અને  ચુનિયાને  ઘરે ગયો .ચુનીયાની વહુને  બાળક આવવાનું  હોવાથી  ઘરમાં ઘી  ગોળ હતાં .ચુનીયાએ  એની વહુને કીધું કે  પામણા (મેમાન )માટે સુખડી  બનાવ , ઘરમાં ઘઉંનો  લોટ ન હોવાથી એ ઘઉં દળવા બેસી ગઈ .અને પછી આગ્રહ  કરી કરી ચુનીયાએ  અને એની વહુએ અમને  જમાડ્યા .હરગોવીદ  બાલ સહજ સ્વભાવ પ્રમાણે ઘરમાં ઉથલ પાથલ  કરવા મેં ખીજાયને હરગોવિંદને  મારી પાસે  બેસી રહેવા  કીધું  .ચુનીયાએ  મને કીધુકે   બાબા ભાઇને  જેમ કરે એમ કરવાદ્યો .પછી અમે બધું વ્યવસ્થિત  કરી લઈશું .હરાગોવીન્દનું એના  ધનુષ્ય બાણ ઉપર ધ્યાન ગયું .તે ધનુષ્યને આમ તેમ  ફેરવવા મંડ્યો .ચુનીઓ બોલ્યો ,બાબા ભાઈ એ  જોઈએ  છીએ ? બાબોભાઈ  કહે હા .ચુનીએ મને કીધું તમે જાઓ ત્યારે આ ધનુષ્ય બાણ લેતા જજો .મેં એને ઘણો સમજાવ્યોકે આ બાળક છે એતો કહે પણ એને  કંઈ  ઉપયોગી નથી .ચુનીઓ કોઈ હિસાબે માન્યો  નહિ .એટલે  મારે ન છૂટકે લેવું પડ્યું .

ચુનિયાને મારી પોલીસ તરીકે કોઈ ગરજ  નોતી ફક્ત મારા  પ્રત્યેનો પ્રેમ ,”જેને ક્યેછે .નિખાલસતા ,જેને ક્યેછે પ્રેમભાવ

કુબાઓમાં  હશે પણ પાકા મકાનોમાં નથી

મેમાનુંને માન દલભર દીધેલ નઈ ઈ મેડીયું  નહીં પણ મહાણ (સ્મશાન  ) હાચું (સાચું )હોરથીયો (સોરઠી ઓ ) ભણે

હવે એક રમુજી જેવી વાત , ગીર પંથકમાં એક ગામડામાં એક ધણી  ધણીયાણી  રહે .ધણી મેમાન આવે તો બહુ રાજી થાય પણ ધણીયાણી ને મેમાન  ઝેર જેવાં લાગે  સિવાયકે  એનાં માવતર પક્ષના હોય .એક દિવસ એને ત્યાં મેમાન  આવ્યા .મેમાન ને ભગાડવા ધણી યાણી એ .યુક્તિ કરી .ધણીને  વસ્તુ લેવા બહાર મોકલ્યો અને  પાછળથી મેમાનને  કીધુંકે મારા ધણીને મેમાન  ગમતાં નથી એટલે એ  મેમાનને  સખત મારે  છે હમણાં એ પોતાના દોસ્ત ગુંડાને  બોલાવવા ગયો છે .એ  આવશે એટલે એ બન્ને  જણા  થઈને તમને  લામ્ધારશે .આતો તમારા ઉપર મને દયા આવે છે .એટલે તમને હું  ચેતવુંછું . ધણી યાણી ની વાત મેમાન એકદમ  ભાગ્યા .થોડીવારે  ધણી ઘેર આવ્યો .એની વહુને પૂછ્યું મેમાન ક્યાં ગયા ? વહુ કહે એતો ભાગી ગયા .શા  માટે  વહુ કહે  એ મારી પાસે બંધૂક  માગતાતા અરે આપી દેવીતીને ?એતો શિકાર કરીને પાછી આપી દેત .ધણી બંધૂક લઈને મેમાન ને આપવા દોડ્યો .ઉભારહો ઉભારહો એવી બુમો પાડવા માંડ્યો   સાંભળીને  મેમાનોએ  વધુ સ્પિડ  પકડી અને ધણી  પાછો ફર્યો .

8 responses to “જેને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે.

    • aataawaani ઓગસ્ટ 15, 2012 પર 5:57 એ એમ (am)

      સુરેશભાઈ મેં  તમારી  વાત સાંભળી મારો વાહો મારી જાતે થાબડી લીધો .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • kanakraval ઓગસ્ટ 15, 2012 પર 8:28 એ એમ (am)

        વાહ વાહ. આતા 5:49એ વાર્તા લખે છે અને સુ,જા. 5:53એ પોરસાવે છે તેના બદલામાં આતા 5:57એ “વાંહો થાબડે છે”. સુ.જા.એ જ્યાં તીર વાગ્યું તે પર ટારગેટનું કુંડાળુ ચિતર્યું. લાગે છે કે બાળ હરગોવિંદને પટાવી બાપાએજ તીર કામઠું લઈ લીધા હશે.
        મારા બે પૈસા. બંન્ને વાર્તા મજાની પણ વાંચવા કરતાં હાંભળવામાં આતા ઘણો રંગ લાવે. હવે તેમને વિડિયો શિખવાડી દો એટલે તેમના બ્લોગ પર વાર્તાઓ મોણ નાખી નાખીને વર્ણવી પણ શકે

        • aataawaani ઓગસ્ટ 15, 2012 પર 10:09 એ એમ (am)

          કનકભાઈ  મારો અવાજ પણ લોકો સાંભળે એ સુરેશભાઈના ધ્યાનમાં હશે  .અને એપણ સુરેશ જાની કરી બતાવશે. સમય આવ્યે .

          Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          ________________________________

  1. Vinod R. Patel ઓગસ્ટ 15, 2012 પર 2:57 પી એમ(pm)

    ,”જેને ક્યેછે .નિખાલસતા ,જેને ક્યેછે પ્રેમભાવ

    કુબાઓમાં હશે પણ પાકા મકાનોમાં નથી

    મેમાનુંને માન દલભર દીધેલ નઈ ઈ મેડીયું નહીં પણ મહાણ (સ્મશાન ) હાચું (સાચું )હોરથીયો (સોરઠી ઓ ) ભણે.

    આતાજી ,તમારી વાત સો ટકા સાચી છે.

    અત્યારે તો જેમ મકાનો મોટાં એમ મન સાંકડાં હોય છે.

    તમને આ ઉમરે ગામ અને નામ સાથે ભૂતકાળની વાતો હજુ યાદ રહી છે એ આશ્ચર્યજનક છે.તમારી યાદ શક્તિ

    કાબિલે તારીફ છે. તમારી વાતો વાંચવામાં રસ પડે છે.દુલા કાગની જેમ.

    • aataawaani ઓગસ્ટ 15, 2012 પર 6:14 પી એમ(pm)

      વિનોદ ભાઈ ભૂતકાળની  ખરું કહું તો  ઘણી વાતો યાદ છે. પણ ભૂલી પણ બહુ જાઉં છું. છતાં તમારા જેવા ઉત્સાહ પ્રેરક મિત્રો  મારો જુસ્સો ટકાવી રાખે છે . એમનો હું ઘણો આભારી છું मै जो कुछ हूँ वो आपके जैसे दोस्तोकी बदोलत हूँ   

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. Ankit Purohit ઓગસ્ટ 15, 2012 પર 9:06 પી એમ(pm)

    Bahuj saras maja aavi gayi

    Jai hind

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: