બ્લોગર મિત્રો એ આતા નો ઉત્સાહ વધાર્યો

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું .ભીષ્મ પિતામહ ન બાણ  શય્યા ઉપર સુતા છે. તેઓને ઈચ્છા મૃત્યુનું  વરદાન છે .એટલે પોતાની જયારે ઈચ્છા હશે ,ત્યારે મૃત્યુ પામશે .તેઓની ઈચ્છા છે કે તેઓ હસ્તિનાપુર રાજ્યને  સુખી સમૃધી  વાન  જોયા પછી મૃત્યુ પામે .

યુધીષ્ઠીર  રાજ્યાસન ઉપર વિરાજ માન     છે .તેઓને ભીષ્મ પિતામહ પાસેથી  રાજનીતિ  શીખવાની ઈચ્છા થઇ ,એટલે તેઓ  ભીષ્મ પિતામહ જ્યાં  બાન શય્યા ઉપર  સુતા હતા ત્યાં આવ્યા .અને  ભીષ્મ પિતામહ નાં ચરણ સ્પર્શ  કર્યા  અને ઉભા રહ્યા . ભીષ્મ પિતામહે આસન ગ્રહણ કરવાની આજ્ઞા કરી ,અને આગમનનું  કારણ પૂછ્યું .યુધીષ્ઠીર બોલ્યા  , પિતામહ ભયાનક ઘોર કલિયુગ નાં મંડાણ થઈ  ગયા છે,આવા સમયમાં મારા ઉપર  વિશાળ ભારત દેશનાં  રાજ્ય કારભારની જવાબદારી આવી પડી છે .તો આવા ઘોર કલિયુગ માં  રાજ્ય ચલાવવા માટે મને કૃપા કરીને માર્ગ દર્શન આપો . મહાભારત ગ્રંથ કે સમર્થ  વ્યાસ મુનીએ ગણપતિ પાસે લખાવ્યો છે .તેના શાંતિ પર્વના આપદ ધર્મ  પ્રકરણમાં  ભીષ્મ પિતામહે   યુધીષ્ઠીર ને જે સલાહ સૂચનો આપ્યા છે .તેમના એકાદ બે સૂચનો  હું અત્રે લખું છું .ભીષ્મ પિતામહે યુધીષ્ઠીર ને કહ્યું કે  આયુગમાં તારા રાજ્યને  વેર વિખેર કરવા માટે વિઘ્ન સંતોશીઓ  અને ઈર્ષાળુ  ઘણા દુશ્મનો ફૂટી નીકળશે ,એટલે તારે તારા શત્રુઓ નો નાસ્તો કરવોતા જ પડશે ,તો એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યાં સુધી તું તારા દુશ્મનને મારીનાખીને જમીન દોસ્ત ન કરી શકે એમ હો તો  દુશ્મન ને છંછેડવો નહિ .”  ચુતણીએ વેર વાળવા નો  પ્રયત્ન કરવો નહિ .વો નહિ .અને  સમય આવ્યે દુશ્મન ને મારી નાખવો .અને મારી નાખ્યો છે એ બાબત ની વાત ની બડાઈ મારવી નહિ અને કોઈને પણ વાત કરાવી નહિ .એટલુંજ નહિ તારે એ દુશ્મન નાં  કુટુંબી જનોને આશ્વાસન આપવા પણ જવું .અને પોક મુમુકીને રોવું પણ ખરું

અને તેની સ્મશાન યાત્રામાં પણ સહુ સાથે જવું .

બીજી વાત તારી પ્રગતિને રૂંધ્નાર ,તારો દીકરોકે ભાઈ કે ગમે તે હોય ભલે એ આપ્તજન હોય ,તેઓને મારી નાખવામાં ખચકાત અનુભવવો નહિ ?”ઔરગ જેબે  આમજ કરેલું .”

મહાભારત યુધ્ધના પ્રારંભ વખતે  અર્જુન કોલ્ગુરું કૃપાચાર્ય,અને ગુરુ દ્રોણ ને  જોઇને ઢીલો પડી ગએલો ,એના ગાત્રો શીથીલ   થઇ  ગએલા   ધનુષબાણ જમીન ઉપર ફેંકી દીધેલા .ત્યારે વાસુદેવ કૃષ્ણે તેને ઉપદેશ આપેલો ,કે આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે છે .અને તું ધર્મને પક્ષે લડી રહ્યો છો .અને સામે અધર્મને પક્ષે  તારા કુટુંબીજનો ,ગુરુઓ વગેરે છે .તો આવા અધર્મીઓનો  નાશ કરવો એ પુણ્યનું કામ છે. ભલે એ ભાઈ ઓ  કે ગુરુઓ હોય  ,

યુધીષ્ઠીર ના ઘણા પ્રશ્નોના ઉત્તરો  ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને  સંતોષ થાય એવા આપ્યા . એ સમયે  ધર્મને હાલના મઝહબ કે રેલીજી ઓન સાથે સરખાવી નો શકાય ‘ધર્મનો અર્થ કર્તવ્ય જેવો થતો , રાજા નો  ધર્મ,પ્રજાનો ધર્મ , બ્રાહ્મણ નો ધર્મ ક્ષત્રિય્ નો ધર્મ વગેરે અર્થ થતો ..જે કઈ શાસ્ત્રો વગેરે કહેવાતા તે તમામ માનવ જાતી  માટે હતા . શાસ્ત્રો એ કઈ પરમેશ્વરના લખેલા નથી .ઋષિ ઓએ  પોતાના અનુભવે જે કઈ સત્ય લાગ્યું છે એ લખી નાખ્યું .એટલે જે મુખ્ય છ શાસ્ત્રો કહેવાય છે  એ  જુદા જુદા ઋષિઓએ લખેલા છે .એટલે દરેક શાસ્ત્ર  એક બીજાને મળતા નથી ઘણો વિરોધાભાસ છે.એટલે સમય  આવ્યે શાસ્ત્રોંને પડકારવામાં આવ્યા છે .  સહુ પ્રથમ ઈ.સ. પૂર્વે છસો વરસ પહેલા  થઇ   ગ એ લ  બૃહસ્પતિ નામના માણસે  શાસ્ત્રો  અને વેદ  સુધ્ધાના વિરોધમાં વાત કરેલી ,તેને એક ગ્રંથ લખેલો .જેમાં એવું લખેલું કે છે છ શાસ્ત્રો વિશ્વાસ પાત્ર નથી સ્વર્ગ નર્ક જેવું કોઈ સ્થાન નથી પુનર્જન્મ નથી . પાપ કે પુણ્ય જેવું કશુય નથી  આત્મા જેવું કઈ નથી માનસ મૃત્યુ પામ્યો  એટલે તેનો મોક્ષ થઇ ગયો .એવું માનવાનું .વરસો પહેલા મને એક ઉર્દુ બુક વાંચવા મળેલી તેમાં લખ્યું હતું તે શબ્દે  શબ્દ  હું લખું છું

જબ ઇન્સાન મરતા હૈ  તબ ઉસકા વજૂદ ખત્મ હોજાતા હૈ .જબ ઇન્સાન મરતા  હૈ .તો ઉસકે જીસમ મેસે કોઈ શે નિકાલ કર  ઝીંદા નહિ રેહ સકતી ઇન્સાન એક   ગેર ફાની રૂહ નહિ રાખતા   આવા સત્ય વક્તા સોક્રેટીસ જેવા તત્વવેત્તા બ્રુહાસ્પ્પતીને  મારી નાખવામાં આવેલો    સોક્રે તીશને સજા તરીકે પીવા માટે ઝેર આપેલું    સોક્રેતીશ હસ્તે મોઢે  ઝેર પી ગએલો .બૃહસ્પતિ અને સોક્રેતીશ સમકાલીન હતા .સોક્રેતીશને ભાગી જવાનો સમય હતો  પણ એ ઇસુ ખ્રિસ્ત ની જેમ  સામે ચાલીને રાજાના સેનીકો સાથે ચાલી નીકળેલો .

ભીષ્મ પિતામહે

ભીષ્મ પિતામહે

15 responses to “બ્લોગર મિત્રો એ આતા નો ઉત્સાહ વધાર્યો

  1. Atul Jani (Agantuk) ઓગસ્ટ 6, 2012 પર 12:17 એ એમ (am)

    ભીષ્મ પિતામહને પરાસ્ત કરવા શીખંડીનો ઉપયોગ કર્યો હતો તે બાબતે આતાવાણી શું કહે છે?

    • aataawaani ઓગસ્ટ 6, 2012 પર 6:30 એ એમ (am)

      યુધ્ધમાં મુખ્ય હેતુ જીતવાનોજ હોય છે. કાવાદાવા કરવા, બોલીને ફરી જવું . એ બધી સામાન્ય બાબતો હોય છે . દ્રોણાચાર ને પરાસ્ત કરવા આસન નોતા  ,આના માટે સત્ય વક્તા તરીકે જાણીતા  એવા યુધીષ્ઠીર પાસે  હોશિયારી વાળું અસત્ય  બોલાવ્યું  ભીમ પાસે  અશ્વ્સ્થામાં નામનો હાથી મરાવ્યો .અને એવી બુમો પડાવી કે અશ્વસ્થામા  મરાણો . ગુરુ દ્રોણ પોતાના પુત્રના મૃત્યુના  સમાચાર સાંભળી   ગુરુ દ્રોણ અસ્વસ્થ  થઇ ગયા .એને વિશ્વાસ નહોતો આવતોકે મારો પુત્ર  મારી ગયો હોય .તેને કૃષ્ણ ને પણ બાજુએ મૂકી યુધીષ્ઠીર ઉપર વિશ્વાસ મૂકી એને  પુછવા ગયા .યુધીષ્ઠીર नरोवा कुंजरोवा  એવું અર્ધ સત્ય બોલ્યા . મતલબકે  હાથી  મરાણો  કે તમારો દીકરો અશ્વસ્થામાં એ ખબર નથી .પણ અશ્વસ્થામાં મરાણો એ વાત સાચી .યુધીષ્ઠીર ને ચોક્કસ ખબર હતી કે હાથી મરાણો  છે.  કૃષ્ણે પણ ઘણી છેતર પીંડી કરી છે .અને પોતાની કુશળતાથી  વ્યાજબી ઠરાવવા પ્રયાસ કર્યો છે. અતુલ ભાઈ ઘણું લખાય એવું છે  મહાભારતના  કાવા દાવાનું બાકીતો “ફાવ્યો વખણાય ” ભીષ્મ પિતામહ   સ્ત્રી ઉપર બાણ ફેંકવાના વિરોધી હતા એ વાત સાચી  શિખંડી  સ્ત્રી નોતો એતો નપુંસક હતો  . છતાં એની ઢાલ બનાવી  ભીષ્મ પિતામહને પાડી દીધા .અતુલ ભાઈ હું આશા રાખું છું કે  મારી આવડત પ્રમાણે મેં આપના પ્રશ્ન નો ઉત્તર આપ્યો .એથી આપને સંતોષ થાય .

       

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • Atul Jani (Agantuk) ઓગસ્ટ 6, 2012 પર 8:05 એ એમ (am)

        શ્રી આતાજી,

        આપના જવાબથી મને સંતોષ થયો છે.

        મહાભારત મહાકાવ્ય છે સાથે સાથે તે મનુષ્યોના મનોભાવોનું તાદૃશ નીરુપણ કરે છે. પાંડવ જેવા પરાક્રમીઓને જુગાર જેવી બદીને લીધે નીચાજોણું થાય અને સર્વસ્વ ગુમાવી બેસવાનો વારો આવે.

        મહાભારતના યુદ્ધ માટે નીમીત્ત ભલે કૌરવ પાંડવો બન્યાં હતા તેમ છતાં તેના તાણાવાણા સઘળાં યોદ્ધાઓ સાથે અજબ ગજબ રીતે જોડાયેલં છે.

        દ્રોણ અને દ્રુપદની મિત્રતા અને વેર. ભીષ્મનું અંબા, અંબિકા અને અંબાલિકાને સ્વયંવરમાંથી ઉપાડી જવું અને અંબાને થયેલો અન્યાય. અંબાનું અગ્નિસ્નાન. બીજા જન્મે સ્ત્રી તરીકે જન્મવું અને પાછળથી પુરુષ તરીકે મહારથી થવું.

        ભીષ્મનું પાત્ર સતત તેજસ્વી રહ્યું છે માત્ર સભામાં દ્રૌપદિનું અપમાન સહન કરેછે અને કશું બોલતાં નથી તે લાંછન તેના ઉપર લાગેલ છે.

        દ્રોણ જન્મે બ્રાહ્મણ હોવ છતાં કર્મે ક્ષત્રિય છે અને અશ્વત્થામા પ્રત્યે અતિ-સ્નેહ છે જે તેના મૃત્યું નું કારણ બને છે.

        યુધિષ્ઠીર માત્ર અશ્વત્થામા મરાયો તેટલું કહીને અટકી ગયાં હોત તો ચાલત પણ નરોવા કુંજરોવા કીધાં ભેગો રથ જમીન દોસ્ત થઈ ગયો.

        આ મહાકાવ્ય ખરેખર અદભુત છે.

        આપના ભાનુમાના વર્ણન કરતાં લેખ પણ વાંચવાની મજા આવેલ.

  2. સુરેશ જાની ઓગસ્ટ 6, 2012 પર 6:12 એ એમ (am)

    ભારત દેશમાં હવે આક્રમકતા ખતમ થઈ ગઈ છે. માત્ર પોલિટિક્સ અને ભ્રષ્ટાચાર જ રહ્યા છે.

  3. pragnaju ઓગસ્ટ 6, 2012 પર 7:48 એ એમ (am)

    દુર્યોધન કહે છે: જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ.
    શકુનિ સ્વયં તમસનું ધ્યોતક છે. અધર્મ તરફ એ દોરી જાય છે ત્યારે દુર્યોધન, દ્રોણ, ભીષ્મ જેવા પણ એ ટોળાનો હિસ્સો બની જાય છે.

    • aataawaani ઓગસ્ટ 6, 2012 પર 8:01 એ એમ (am)

       શકુનીની  બાહોશી  ભલભલાને અધર્મ તરફ ખેંચી ગઈ . પ્રજ્ઞા બેન

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • Atul Jani (Agantuk) ઓગસ્ટ 6, 2012 પર 8:14 એ એમ (am)

        મહાભારતનું યુદ્ધ કૃષ્ણ અને શકુની વચ્ચેનું યુદ્ધ પણ છે. સાતમ આઠમમાં દર વર્ષે કેટલાયે શકુનીઓ મહાભારત કરાવે છે. શેરબજારમાં સટ્ટો / લોટરી / અન્ન અને કઠોળનો સટ્ટો / સોના ચાંદીનો સટ્ટો / ક્રીકેટ પર રમાતો જુગાર / લાસવેગાસ – આધુનિક શકુનીઓ ચારે તરફ જોવા મળશે. ચારે તરફ પાંડવોનો વનવાસ / દ્રૌપદિઓની ચીસ.

        કૃષ્ણ ક્યાંયે દેખાતા નથી.

        ભારતની બહાર રહેલા ભારતીયોને તો માત્ર દેખીને દુ:ખી થવાનું છે. અહીં રહેનારને તો દેખવું ને દાઝવું બંને સહેવાના છે.

        એક માત્ર ઉકેલ છે – Man making and character building education.

  4. DR. CHANDRAVADAN MISTRY ઓગસ્ટ 6, 2012 પર 1:59 પી એમ(pm)

    આતાજી,

    નમસ્તે !

    આ પોસ્ટ વાંચી.

    ભિષ્મ અને યુધીસ્ઠીરનો સંવાદ…અર્જુન અને ગુરૂ દ્રોણ નો સંવાદ.

    અને…બૃહસ્પતી તેમજ તમારૂં ઉર્દુ બુકનું વાંચન.

    આ બધુ પોસ્ટરૂપે વાંચ્યું.

    અહી, શરૂ થયેલા “કળિયુગ”નો ઉલ્લેખ એટલે અત્યારના યાને અત્યારના “વર્તમાન” યુગની વાત થઈ.

    કળિયુગ પહેલા માહાભારતમાં યુધ્ધની વાતો…અહી ધર્મ અને અધર્મ વચ્ચે યુધ્ધ, અને ધર્મનો વિજય.

    આ કળિયુગમાં પણ આવી જ લડાઈ….પણ અધર્મ વધી ગયો છે.

    આવા સમયમાં ભલે તમે અધર્મ સામે લડવું એ તમારૂં “કર્તવ્ય” સમજો પણ એવું કાર્ય કરતા, “ભક્તિ” જ તારણહાર છે.

    આ ભવસાગર તરી જવા માટે ભક્તિ પંથની જરૂરત છે !

    તમારી પોસ્ટ વાંચ્યા બાદ, મારી સમજ આવી છે !

    >>>>ચંદ્રવદન

    આતાજી…મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર જરૂર પધારજો !

    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

  5. kanakraval ઓગસ્ટ 6, 2012 પર 3:56 પી એમ(pm)

    અંગ્રેજી કહેવત પ્રમાણે “યુધ્ધ અને પ્રેમની બાબતોમાં કોઈ પણ પેરવી ચાલે” તે ન્યાયે મહાભારતના બનાવોને નિતી નેવે મુકવાની વાત કદાચ સ્વિકારી શકાય . દ્રોણાચાર્યે શાંતિ કાળમાં પ્રિય શિસ્ય અર્જુનની તરફેણમાં શુદ્ર એક્લવ્યનો અંગુઠો કપાવ્યો તે અધર્મ પણ સ્વિકાર્ય?

  6. jjkishor ઓગસ્ટ 6, 2012 પર 6:21 પી એમ(pm)

    બુદ્ધ મહાવીરના સમયમાં અહિંસા શોધાઈ એમ કહી શકાય. એને શસ્ત્ર તરીકે પ્રેક્ટીકલ સ્વરૂપ ગાંધીએ આપ્યું. હિંસા સાથે જ જોડાયેલા કાવાદાવા પણ મહાભારત–યુદ્ધમાં ધર્મ ગણાયા. સવાલ એટલો જ કે બે પક્ષોમાંનો ઓછો અનિષ્ટ કયો ?

    આવી સ્થિતિ આવે ત્યારે જીતેલું ઓછું અનિષ્ટ પણ જીતી ગયા પછી મોટા અનિષ્ટ તરફ ગતિ કરે જ !

    • aataawaani સપ્ટેમ્બર 4, 2012 પર 9:29 એ એમ (am)

      હું ખુબ લહેરમાં છું .આનો યશ હું બ્લોગર અને બીજા પ્રેમાળ મિત્રોને આપું છું   આતા  

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: