બાળકીનું બલિદાન

મેર લોકોમાં  ઘણા નાના  મોટા બહાર વાટિયા થઇ ગયા છે .પણ નોંધ ફક્ત નાથા મોઢવાડિયાની લેવાણીછે.
જુના વખતમાં  પોરબંદર રાજ્ય સામે ભૂતિયા શાખાના  મેરને કૈક પોરબંદર રાજ્ય સામે વાંધો પડ્યો  એટલે કેટલાક મેર જુવાનોબહારવટે ચડ્યા .અને રાજ્યમાં રંજાડ શરુ કર્યો . અને
મહારાણાની ઊંઘ હરામ કરી દીધી .
બહારવટિયાઓને   જીવતા  યા મુવા પકડાવવા માટે મોટાં ઇનામો જાહેર કર્યાં પણ કોઈ સંજોગોમાં બહારવટિયા  જબ્બે થતા નોતા ,પણ એક દિવસ  બહારવટિયા  લશ્કરની નજરે ચડ્યા  અને લશ્કરે પીછો કર્યો.બહારવટિયા ભાગીને નેરાનાંગામમાં ઘુસ્યા , નેરણા  ગામને મેરલોકો નારાણું કહે છે.   અને મારું માનવું છેકે નારાણું નામ યોગ્ય છે .કેમકે તે નામ નારાયણ ઉપરથી પડેલું હોય એમ માની શકાય .
બહારવટિયા  નારાણાં ગામમાં  આવીને  પોતાના ગોરના ઘરમાં ઘુસી ગયા .સિપાહિયો  વાહા લગા  ગામમાં ઘુસ્યા .
બહારવટિયા બ્રાહ્મણના ઘરમાં સંતાયા છે . એવી બાતમી કોઈકે    સિપાઈઓને આપી. એટલે સિપાઈઓ  બ્રાહ્મણના   ઘર આગળ આવીને ઉભા રહ્યા .અને બ્રાહ્મણને ધમકી આપીકે  તે ઘરમાં ડાકુઓને  આશરો આપ્યો છે. એટલે જો તું તારું હિત  ઈચ્છતો હોયતો  લુંટારાઓને  ઘર બહાર કાઢ્ય .બ્રાહ્મણે જવાબ આપ્યોકે  મારા ઘરમાં કોઈ છેજ નહિ .માટે તમે ક્યાંક બીજે તપાસ કરો .એક જણ સિપાઈ ગીરીથી બોલ્યો , ડાકુઓને કાઢે છેકે પછી અમે તારા ઘરમાં ઘૂસીને  અમારી જાતેજ કાઢી લઈએ ? બ્રાહ્મણે જવાબ આપ્યોકે જો તમે મારા ઘરમાં ઘૂસવાની કોશિશ કરશોતો જોયા  જેવી થશે . સિપાઈઓએ બ્રાહ્મણ ની વાતને ગણકારી નહિ અને ઘરમાં ઘુસવા પ્રયાસ કર્યો . આવખતે બ્રાહ્મણની બાજુમાં તેની ચારેક વરસની ઉમરની તેની દીકરી ઉભેલી હતી .આ અભોર બાળાને એકજ  ક્ષનમાં બે પગ પકડીને ક્રૂર બ્રાહ્મણે  પત્થર ની શીલા ઉપર પટકી  બાળકીનું માંથું  દહીંની દોણી ફૂટે એમ ફૂટી ગયું .અને મગજના છોતરા  વેરાઈ ગયાં. બ્રાહ્મણ દીકરીનું લોહી  સિપાઈઓ ઝખ્વાના ના પડી ગયા .  અને જતા રહ્યા . થોડીવારે  બહારવટિયા  ઘર બહાર નીકળ્યા ,અને બ્રાહ્મણને  ઠપકો આપ્યો કે અમને બચાવવા  આવું ક્રૂર કૃત્ય શામાટે કર્યું . અમે તો ખડિયામાં  ખાંપણ લઇ નેજ ફરતા હતા . આજ નહિ તો બે દિવસ પછી અમેતો મરવાના  હતાજ   આવું બાળકીને મારી  નાખવાનું  અધમ કૃત્ય કરવા કરતાં તે અમને પકડાવીને  ઇનામ લીધું હોત તો સારું હતું .બ્રાહ્મણ બોલ્યો .મારે આશરે આવેલા મારા યજમાનને  પકડાવી દઈ મારી પેઢી દર પેઢી ઉપર કાળી ટીલી લાગવા દેવાનું હું ઈચ્છતો નોતો.
એમ કહેવાય છે કે  બાળકીનું બલિદાન દેનાર બ્રાહમણનું   નખ્ખોદ નીકળી ગયું . હાલ આ ક્રૂર બ્રાહ્મણના ભાયાતોના વારસો એ  બાળકીનું કુળ દેવી  તરીકે સન્માન કર્યું .અને બહારવટિયાઓના વારસદારો વાર તહે વારે નૈવેદ્ય  ધરાવે છે.
.

One response to “બાળકીનું બલિદાન

  1. Suresh Jani જાન્યુઆરી 14, 2012 પર 8:48 પી એમ(pm)

    અરેરાટી પહોંચે તેવી વાત.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: