અંબાજી પોલીસ સ્ટેશન
અંબાજી માં અમદાવાદથી આવેલા અને ગુજરાતના બીજા જીલ્લાઓમાંથી આવેલા પોલીસો ધીમે ધીમે પાલનપુર અને એવે બીજે ઠેકાણે જતા રહેલા એટલે બહારથી આવેલાઓમાં અંબાજીમાં ફક્ત એકલો હુંજ રહેલો ,અને બાકીના સ્થાનિક પોલીસોજ રહેલા .એક ફોજદાર અને એક જમાદાર તરીકે ઓળખાતો માણસ અને થોડા પોલીસવાળા હતા .ફોજદાર અને જમાદાર તરીકે
જે હતા એલોકોએ કાયદાની બુકો સાધારણ વાંચેલી .આસિવાય બીજું કોઈ જાતનું ખાતાકીય જ્ઞાન નહિ કેમકે તેઓને દરબારે સીધાજ નીમી દીધા હોય છે .એના પાસે ધોકાની આવડત અને આદિવાસી લોકોને દબાવવાની આવડત .અમને અમદાવાદ જેવા શહેરોમાંથી નવા આવેલા પોલીસોને ખાસ ભલામણ કરેલીકે આદિવાસી પ્રજા સાથે ભળવું નહિ .અને મોએ ચડાવવા નહિ .સ્થાનિક વેપારી વર્ગ અને બીજા લોકો પણ આદિવાસી પ્રજા સાથે કામ પુરતો વહેવાર રાખવો એવી ભલામણ કરેલી . મને આવું નાગમતું , એટલે હું બહુ ભાળીને એલોકો સાથે રહેતો અને તેઓ સાથે ઓરમાયું વર્તન રાખતો નહિ .
પોલીસને નોકરી જેવું કઈ લાગે નહિ .થોડા દિવસોમાં ફોજદારની બદલી હડાદ ગમે થઇ .હુંતો આડી વાસીના ગામડાઓમાં રખડ્યા કરતો .હથિયારમાં અમદાવાદ સીટી પોલીસની જેમ ફક્ત બેટન કમરે લટકાવીને ફરવાનું નહિ .હું તો બંધુક લઈને ફરતો .દરેક આદિવાસી પાસે ઉપર ભરવાની બંધુક રહેતી .એમને લાયસન્સની જરૂર રહેતી નહિ .
બહારથી આવેલા પોલીસોને આદિવાસી પ્રજા “કોન્ગ્રેસેરા સિપાઈ “તરેકે ઓળખતી,બહુ અલ્પ સમયમાં હું આદિવાસી પ્રજામાં ઓળખીતો અને માનીતો થઇ ગએલો ,
થોડા વખતમાં દિનુભાઈ ઓઝા સબ ઇન્સ્પેક્ટર તરીકે આવ્યા .અને સુરતથી થોડા પોલીસો આવ્યા .આદિવાસી કોઈ ફરિયાદ લઈને આવે તો દિનુભાઈ મને બોલાવે .અને હું જે રીતે ફરિયાદનો નિકાલ કરવો હોય એ રીતે કરી નાખતો .અને દીનું ભાઈને મારી વાત મંજુર રહેતી .
આ સમયે આબુરોડથી અંબાજી સુધીની બસો દોડતી એનો માલિક પારસી હતા .બસો સિવાય એની ટેક્ષી પણ ચાલતી .પોલીસનો સામાન્ય માણસ જરૂર પડ્યે , ટેક્ષી નો ઉપયોગ કરી શકતો અને એ પણ કાનામાતર વગર (મફત )બસમાં તો મફત ફરવાનું .અંબાજી નજીકનું ગામ કુંભારિયા ,કે જ્યાં સરસ કોતરકામ વાળું જૈન મંદિર છે .દાંતા રાજ્યના વખતમાં એ મંદિરને ફરતી દીવાલ નોતી આઝાદી આવ્યા પછી મંદિર ફરતી મોટી બધી દીવાલ ચણી લીધી છે.
અંબાજી નજીક રીછડી , કોટેશ્વર ,પાન્સા.વગેરે ગામો છે .
આપણે લોકો આદિવાસી પ્રજાને એકજ જાત સમજીએ છીએ પણ એવું નથી .કુંભારિયા અને નજીકના ગામના રહેવાસી પોતાને ગરાસીયા તરિકે ઓળખાવે છે .રીંછડી અને પાનસા વગેરે ગામમાં રહેતા લોકોને ગરાસીયા તરીકે ઓળખાવતા લોકો ભીલ તરીકે ઓળખે છે પણ આ ભીલ લોકો પોતાને ગામેતી કહેવડાવે છે . ગરાસીયા લોકો ગાય,બળદ ,રોઝ (નીલગાય ) નું માંસ નથી ખાતા ઉપરાંત સફેદ રંગનું ઘેટું કે બકરા નું માસ નથી ખાતા અને દુધી સફેદ હોવાથી દુધી પણ નથી ખાતા .
ગામડાઓમાં કુમ્ભારીયાના પટેલનો દીકરો કિશનો .રીછડીનો સુતારી કામ જાણનાર કિશનો પારગી ,કોટેશ્વરનો ચુનીયો ગમાર આલોકોનો પ્રેમભાવ મને હજી યાદ છે .અંબાજીમાં નોકરી જેવું તો કઈ લાગેજ નહિ.પણ મારા દીકરા દીકરીઓના ભવિષ્ય નું ધ્યાન રાખી ,હું બદલી કરાવીને અમદાવાદ આવી ગયો .અમદાવાદ શહેરમાં હું રહેતો હોઉં તો મારા સંતાનો ઘરે રહીને કોલેજોમાં ભણવા જઈ શકે. અને ફક્ત આજ કારણસર હું અંબાજીનો જલસો છોડી , અમદાવાદની હાડમારી ભરેલી નોકરી કરવા અમદાવાદ આવ્યો .અંબાજીથી અમદાવાદ આવ્યે ,વરસો થઇ ગયા .પછી એક વખત હું મારા દીકરા હરગોવિંદ કે જે ન્યુ જર્સીમાં રહે છે ,અને સેવાભાવથી રેડિયો ઈન્ટરનેટ ઉપર ભારતીય સંગીત રજુ કરે છે.અહે એ દેવ જોશી તરીકે ઓળખાય છે. એને લઈને હું અંબાજી આવ્યો .આવખતે હરાગોવીન્દની ઉમર સાતેક વરસની હશે .અમો બાપ બેટો આજુબાજુ જંગલમાં રખડીને ચુનિયા ગમાંરના ઘરે આવ્યા .
અમો ઓચિંતાના અતિથી તરીકે ચુનિયાને ઘરે ગયા ,ચુનીયાના હરખનો પાર નરહ્યો .તાત્કાલિક એની વહુએ ઘઉં દળ્યા અને લોટ તૈયાર કર્યો ગોળ ઘી નાખીને સુખડી બનાવી અને શાક બનાવ્યું .અમે જમ્યા .
હરગોવિંદ એના ઘરમાં જઈને બાળ સહજ સ્વભાવ પ્રમાણે વસ્તુઓ આડી અવળી કરવા માંડ્યો .હું ખીજાણો અને હર્ગોવીન્દને ઘર બહાર નીકળવાનું કહ્યું . ચુનીયે મને હાથ જોડીને કહ્યુકે બાબાને જેમ કરે તેમ કરવા દ્યો .હું શાંત રહ્યો એટલે હરગોવિંદ ફરીથી એના ઘરમાં ઘુસ્યો અને ચુનીયનું ધનુષ્ય બાણ ઉપાડી લાવ્યો અને મને દેખાડ્યું .ચુનીયાએ હરાગોવીન્દને પુછ્યું તને ગમે છે ? હર્ગોવીને હાપાડી એટલે ચુનીયો કહે તું લઈજાજે .મેં ચુનિયાને નાપાડીકે અમારે કઈ જોતું નથી .
ધનુષ્ય બાણને આલોકો ધુનરી કહે છે . મેં ચુનિયાને હાથ જોડીને કીધું કે ભાઈ એને કઈ આપવાનું નથી .છતાં ચ્નીઓ માન્યો નહિ .અને અમારે બસની ઉપર બાંધીને મહામુશીબત્ર ઘર ભેગું કર્યું .અને આખર એ ધુનરી સાચવાનને અભ્હાવે ધૂળ ધાની થઇ ગઈ .
કોઈ અનુભવીએ કીધું છેકે મુંબઈ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પ્રેમભાવ છે એનાથી ઘણો વધારે નાના શહેરોમાં છે. અને નાના શહેરોથી વધારે પ્રેમભાવ ગામડાના લોકોમાં છે .અને ગામડાના લોકોથી વધારે પ્રેમભાવ જંગલમાં વસતા લોકોમાં છે .
જેને ક્યેછે નિખાલસતા ,જેને ક્યે છે પ્રેમભાવ
કુબોમાં હશે પણ પાકા મકાનોમાં નથી
.