Daily Archives: ડિસેમ્બર 13, 2011

आकृति गुणान कथयति

કેટલીક કહેવતો ખોટી પડી જતી હોય છે “.आकृति गुणान  कथयति ” જે સંસ્કૃત કહેવત છે .એનો અર્થ એવો થાય છે કે માણસના  ચેહરા ઉપરથી એ કેવા ગુણ ધરાવે છે એની ખબર પડી જતી હોય છે.પણ આજથી લગભગ  સોએક વરસ પેલાં ગરેજના દુલભાએ  ખોટી પાડેલી .દુલાભાને તમે જુવોતો  સીધો ,સરળ , કહ્યાગરો ,ડાયોડમરો , ગરીબડી ગાય જેવો લાગે .તમને કલપના  નો આવે કે આ અટકચાળો  હશે.
આમ જોવાજાવતો ગુજરાતની કેટલીક કહેવતો અમેરિકામાં ખોટીયું પડેછે.  એનું દ્રષ્ટાંત આપુંતો”પંડ જાણે પાપ અને માં જાણે બાપ “એ કહેવત  અમેરિકાના એક વખતના પ્રેસિડેન્ટ ફોર્ડની  માને ખબર નોતીકે આનો બાપ કોણ છે .   એવીજ રીતે વિશ્વનો  શતરંજ નો ચેમ્પિયન ની માને ખબર નોતી કે આનો બાપ કોણ છે. આતો તમને મેં  પ્રસિદ્ધ માણસોના નામ આપ્યાં.બાકી અમેરિકામાં  ઘણી છોકારીયુંને પાતાના બાળકોના બાપની ખબર નથી હોતી .અમેરિકન સરકાર કુંવારી માતાઓને  ઘણી મદદ કરતી હોય છે .એટલે ઘણી છોકરીઓ લગ્ન કર્યા સિવાય બાળકો ઉત્પન્ન  કરી લેતી હોય છે. અને સરકારી પૈસાથી  તાગડધીના  કરતી હોય છે.
ગરેજ જેવા ઘેડ વિસ્તારના  ગામડાઓમાં ફક્ત  ચોમાસું ખેતી થાય છે કુવા ખોદીને પાણી પીવડાવીને  શાકભાજી ઉત્પન્ન ના થઇ શકે  કેમકે ઘેડ વિસ્તાર નદીઓએ  કાંપ ઠાલવીને સમુદ્ર પૂરીને જમીન બનાવી છે. એટલે જો કુવો ખોદવામાં આવે તો જમીનમાંથી  સમુદ્રનું ખારું પાણી આવે .
આવા કારણસર બકાલીઓ  સાંઢીયા ઉપર કે ઘોડા ઉપર શાકભાજી કે કેળા પપૈયા જેવાં ફળો , લઈને  બકાલીઓ  ઘેડના ગામડાઓમાં    વેચવા આવે .
ગરેજ્માં પીરીયો કરીને એક બકાલી પોતાના  સાંઢીયા ઉપર બકાલું લઈને વેચવા આવે . સાંઢીયા ને  ખૂણે ખાચરે દુર બાંધીને જ્યાં માણસોની અવરજવર  થતી હોય ત્યાં  શાકભાજી વેંચવા બેસે .પીરીયો તોલમાપમાં છેતરે છે .એવી લોકોની માન્યતા હતી ખાસકરીને સ્ત્રીઓની .   એકવખત પીરિયાની સાન ઠેકાણે  લાવવાનો નાનકડા દુલ્ભાને વિચાર આવ્યો .અને મોકો જોઇને પોતાનો આવિચાર દુલભાએ અમલમાં  મુક્યો.
એક વખત ભીમ અગિયારસના દિવસો હતા .પીરીયો રતાળુ ગાજરનો (શક્કરીયા )  ઊંટ ભરીને  ગરેજ વેંચવા આવ્યો . જુના વખતમાં   સોરઠ ,બરડો,ઓખો ,બારાડી .વિસ્તારમાં  નાના મોટા સૌ  પુરુષો પાઘડી બાંધતા .દુલભો પીરીયના ઊંટ  પાસે ગયો .    અને  તુ તુ બોલીને કુતરાને નજીક બોલાવ્યું . ભૂખ્યું  કુતરું કૈક ખાવા મળશે ,એ આશાએ ઊંટ અને દુલભો જ્યાં હતા ત્યાં આવ્યું .દુલભાએ  પોતાની પાઘડી વતી ઊંટના પુંછડા સાથે કૂતરાની પૂંછડી બાંધી દીધી .બંધનમાંથી  છુટવા માટે કુતરો હવાતિયા મારવા માંડ્યો અંને આકારણે
ઊંટ તોડાવીને ભાગ્યો .એટલે દુલભો પીરીયા  પાસે ગયો અને    હમદર્દી બતાવતો હોય એવું મોઢું કરીને પીરીયાને  કહ્યું  તારો ઊંટ તોડાવીને ભાગી જાયછે .પીરીયો બધું પડતું મુકીને ઊંટને પકડવા દોડ્યો અને પાછળથી  રતાલુંમાં ભેર પડી મતલબકે  રતાળુ  લઇ લઈને  લોકો ઘરભેગા થવા માંડ્યા . દુલભાએ  પોતાના  પહેરણની  સાળામાં થોડા લીધા કોઈકે દુલભાને પૂછ્યું તારી પાઘડી ક્યાં ? દુલાભો કહે    આ જે તમે  ભીમ અગિયારસ ઉજવો છો એ મારી પાઘડી નાં પ્રતાપ છે. આ દુલાભો મારા દુર્લભજી કાકા સો વરસથી વધુ આયુષ્ય ભોગવી સ્વર્ગે ગયા . તેઓના સુપુત્ર કરસનજી ભાઈ  લંડનમાં નિવૃત જીવન  પોતાના કુટુંબ સાથે વિતાવે છે . કરસનજી ભાઈ અને તેના પત્ની રુકમણી બેનના મેમણ થવું એ એક લ્હાવો છે .હજી મેમાનોને આગ્રહ કર કરીને જમાડે છે .અને એવોજ આગ્રહ મેમાન ને રોકવા માટે કરે છે.