॥ ब्रुहस्पति कथन ॥

ब्रुहस्पतिका  सहायफ़ कहना है कि

वेद, उपनिषद,  छ:शास्त्रों, ऐसी  किताबें

यकीं करने के काबिल नहीं है  ।

सिर्फ इन्सान की  जहन यकीन के काबिल है  ।

जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म हो जाता है  ।

इन्सानके  जिस्मसे कोई शे बहार निकलकर जिन्दा नहीं रहती ।

इन्सान एक गैरफानी रूह नहीं रखता ।

આતાની ૯૮ મી વર્ષગાંઠ

       ૧૯૨૧ની સાલમાં જન્મેલા આતાની ‘જન્મતારીખ આજે છે.’ –  એવો સંદેશ ગૂગલ મહારાજે ૧૫મી એપ્રિલે મોકલ્યો. એમની સાથેના સ્નેહ ભર્યા સંબંધની જૂની યાદો તાજી થઈ ગઈ – આતા યાદ આવી ગયા. એ બેભાનાવસ્થામાં  જન્મદિનની વધામણી પાઠવતો ઈમેલ બનાવવા માઉસ પર આંગળી મૂકી, ન મૂકી અને તરત ભાન પાછું આવ્યું કે, સ્વર્ગમાં થોડો જ ઈમેલ પહોંચવાનો?

      પછી આ અદકપાંસળી જીવને સૂઝ્યું કે, આમેય બધા ઈમેલો, ફોન સંદેશ, ફેબુ/ વોએ/ લિન્ક્ડ ઈન/ ઇન્સ્ટાગ્રામ/ ટ્વિટર ટ્રાફિક અને આતાના માનીતા બલોગડા આતાની હારે વાદળોમાં જ ને?! તો શીદને મિત્રોની સલાહ ના લઉં  કે, આવું કાંઈ થાય?! 

      અને એક ઈમેલ એમના મિત્રોને ઠપકારી દીધો –

હરગમાં ઈમેલ જાય?!

         અને બાપુ ! જો જામી છે રંગત….

      મિત્રોના ઢગલે ઢગલા પ્રેમ પુષ્પો  બે દિવસ ઠલવાતા જ રહ્યા…ઠલવાતા જ રહ્યા… એ સઘળાંનું સંકલન કરી, આતાને આ પ્રેમસભર શ્રદ્ધાંજલિ ફરી એક વખત….


પી.કે.દાવડા 

આતા ત્યાં પણ નવા મિત્રો બનાવી બર્થ ડે ઉજવતા હશે !  સુરેશભાઈએ યાદ અપાવી અને આતાને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ મળી ગઈ.

સુજા

ના,  અપ્સરાઓ હારે મશગૂલ હશે !

રિતેશ મોકાસણા

     આતાને વધાઈ સાથે શ્રદ્ધાંજલી ! મને હર્ષ છે કે, આતાની બુક એમના પુત્ર શ્રી દેવ ભાઈ જોશીને હસ્તગત થઇ ચુકી છે.

કેપ્ટન નરેન્દ્ર ફણસે

જરૂર જાય. ફક્ત ઇન્ટરનેટને બદલે અલ્ટ્રા નેટ જોઈએ.આ અલ્ટ્રાનેટના અદૃશ્ય તાર મન સાથે જોડાયેલા હોય તો. આપણે બધા આતા સાથે અલ્ટ્રાનેટથી જોડાયા હતા. દરેકની સાથે તેમણે અંતરના સ્નેહતારથી જોડ્યા હતા. મારી સાથેતેમને વિશેષ લાગણી હતી કેમ કે અમે બંને ફૌજી હતા. તેઓ veteran તરીકે મારા સિનિયર તેથી જ આ સંબંધ બંધાયો હતો.આતાને સલામ.

ચિમન પટેલ – ‘ચમન’

સરસ કલ્પના!

વલીભાઈ મુસા

છેલ્લી અમારી મુલાકાત ટાણે તેમણે વાયદો કર્યો હતો કે નેક્સટ ટાઈમ તેઓ મારા મહેમાન બનશે અને જીવનભરના નિયમોને અવગણીને મારી ઇચ્છા મુજબનુ જમશે. ડો. રાજેન્દ્ર ત્રિવેદી સાક્ષી છે. એમને બાફેલા ખોરાકમા પાણી રેડીને સબડકા મારતા જોઈને મે કહેલુ કે ભલે તમે મળવા આવજો, પણ આવા ભોજનનુ દાવત મારાથી નહિ થાય. કોઈ મેઈલ કરો તો મારી વાતની યાદ અપાવશો.

રમેશ પટેલ ( આકાશદીપ)

પૂ.આતા એટલે સ્વયં આનંદ – મસ્તી ને મૈત્રીનો ઓટલો. શત શત વંદન પરમધામે.

પ્રજ્ઞા વ્યાસ

HJ.jpg
એક મઝાની વાત રહી ગઇ.તેમને ઉર્દુ લખાણ ગમતા અને તેમને ગમતા લખાણોની ચર્ચા કરતા તે મા સુજાએ ચાલુ રાખેલ બ્લોગ આતાવાણીમા માણી શકાશે આજે તેમને સ્મરણાંજલી માં
قید حیات و بند غم ، اصل میں دونوں ایک ہیں

موت سے پہلے آدمی غم سے نجات پائے کیوں؟          

بازیچہ اطفال ہے دنیا میرے آگے

ہوتا ہے شب و روز تماشا میرے آگے

 

نہ ستائش کی تمنّا نہ صلے کی پروا

گر نہیں ہیں مرے اشعار میں معنی نہ سہ

 

اگ رہا ہے در و دیوار سے سبزہ غاؔلب

ہم بیاباں میں ہیں اور گھر میں بہار آئی ہے

वास्तव में, ये दोनों ही जीवन और दुःख के कैदी हैं

मृत्यु से पहले मनुष्य को दुःख से छुटकारा क्यों मिला?

 

दुनिया मेरे आगे है, यह दिन और रात को हो रहा है

 

प्रशंसा की इच्छा की परवाह मत करो

मेरे दिल में मत गिरो

 

यह दीवार से सब्जी तक उठ रही है

हम जंगल में हैं और घर पर आ गए हैं

 

વિનોદ પટેલ

આતાજીની ખોટ હમ્મેશાં વર્તાતી રહેશે. આતાજી મિત્રો સાથે ઈ-મેલમાં દિલ ખોલીનેએમના દિલની વાત રજુ કરતા હતા જેમાં એમનો રમુજી અને નિખાલસ સ્વભાવ જણાઈ આવતો હતો.દા,ત.  

આતાજીએ તારીખ પ મી જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ , એટલે કે એમના દુખદ દેહ વિલયના ૧૦ દિવસ પહેલાં મને નીચેનો ઈ-મેલ પાઠવ્યો હતો એમાં એમણે મહિલાઓને એમની ઉંમર લોકોને કહેવાનું ગમતું નથી એ વિષે એમના મહિલાઓ સાથેના અનુભવોના દાખલાઓ આપી લખ્યું હતું. .તેઓએ લખ્યું હતું કે …
 

 ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી “ ઈ-મેલના અંતમાં એમણે એમનો રચિત આ શેર લખ્યો હતો.  

रंग बदल जाते है  जज्बात बदल  जाते है ।   वक्त पे इंसानके ख्यालात  बदल जाते है  
આખો ઈ-મેલ આ પ્રમાણે છે.
 

himatlal joshi <hemataata2001@yahoo.com>

Tovinodbhai patel

jan 5 2017 at 2:30 AM
 
પ્રિય વિનોદભાઈ
 
હું નાનો હતો , ત્યારેવસ્તી ગણતરી થઇ  . મારા ગામમાં આ કામ મારા બાપાને કરવાનું હતું.એક માજીનીસાથે એનો દિકરો પણ આવેલો . ગામડામાંએકબીજાને ઓળખાતા હોય.બાપાપોલીસપટેલએમનેથોડું ઘર ઘર જઈનેનોંધ કરવાની હોય . બાપાએગામમાંસાદ પડાવેલોકેકાલેસાત કામ પડતા મૂકીનેડેલીએ નોંધણીકરાવવાજવાનું છેલોકો બાળ ગોપાલ સાથે આવ્યાં . એકમાજીને બાપાએ પુચ્છ્યું  . બેન તમારી કેટલી ઉંમર છે  .  એંસીક વરસનામાજી બોલ્યાં સાઠેક વર્ષની હશે  .  એના દિકરાને પૂછ્યું  .  તારી કેટલી ઉંમરછે   .  દિકરોપોતાની જન્મ તારીખ સાથે બોલ્યો  . 61 વરસ  .  બાપાએ માજીને પૂછ્યું  .  માજી તમારી ઉંમરવધારે હોવી જોઈએ .  માજી બોલ્યાં તમે મને ઘરડી સમજો છો? (ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી)  .  
એક મહેસાણાજિલ્લાની બેન મારી ઓળખીતી હતીતે  57 વરસની ઉંમરનીહતી   .  મારાથી તેમને એક દિવસપહેલાની હેપી બર્થ ડેકહેવાય ગઈ  . તે બોલી કાકા તમે મને એક દિવસ મોટી કરી દીધી   .આ બેનધાર્મિકવૃત્તિનાદેખાતાં હતાં  .  તેણે છુટ્ટા છેડા લીધેલા હતા   .  તેની સાથે મારે વધારે પરિચય થયો   .   અમેરિકન છોકરીઓથી પણવધુ મારી સાથેછૂટથી વર્તેલી  .  તમારી સાથેએવી વાતો કરતાં જીભ ન ઉપડે અને તમને પણમને એવું પૂછતાંજીભ ન ઉપડેએવી વાતો એણે મારી પાસેથી ઓકાવેલી  . હવે જોજો એક વખત મનેએણે કોમ્પ્યુટરબાબત પ્રશ્ન પૂછ્યો  . એ કોલેજ ગ્રેજ્યુએટ.મેં એનેસાચો જવાબ આપ્યો   .  પછી મને એણે વાત કરીકે કાકા મેં મારી બેનપણીને પણ શીખવ્યું  .  . મેં તેને પુચ્છ્યુંતુને કોણે શીખવ્યું  ?  તેણે જવાબ દીધો  .  મારા એક કાકા છે  , એણેમને શીખવ્યુંછે   .  મેં કીધું તારા કાકા તોઅભણછે  .  તે બોલી તે અભણ નથી  .  એણે એની જુવાનીમાંકેટલીયછૉકરીયુંને ઉઠાંભણાવ્યાછે  ,  આ બાઈએપોતાનું સરનામું ફોન ઈ મેલ અડ્રેસ્સબધું જ બદલી નાખ્યુંછે  .  દરેક મિત્રોથી સંપર્કતોડી નાખ્યો છે  .  આ બાઈની મનેમુરજી ભાઈએઓળખાણ કરાવેલી  . જે મુરજી ભાઈનોહું 16 દિવસ મહેમાનબનેલો   . 
 
रंग बदल जाते हैजज्बात बदलजाते है
वक्त पे इंसानके ख्यालातबदल जाते है  .  .    
 
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta                
Teachers open door, But you must enter by yourself. 
આતાજીના આવા ઘણા ઈ-મેલ મેં હજુ ફાઈલમાં સાચવી રાખ્યા છે.એમના સ્વભાવ પ્રમાણે બીજા મિત્રોને પણ તેઓએ ઘણું લખ્યું હશે જ .

પ્રવીણકાન્ત શાસ્ત્રી

મારા વ્હાલા વ્હાલા મિત્રો,

હું અહિ સ્વર્ગની  અનેક અપ્સરાઓની સેવાઓ સાથે સુખી સંપન્ન છું. અને મારી બર્થ ડે મનાવી રહ્યો છું. તમે બધાએ તમારા પ્રેમમાં ફસાવીને સ્વર્ગના સુખથી ઘણાં વર્ષો વંચિત રાખ્યો હતો. મોડું તો મોડું પણ હવે કાયમનું સુખ છે.
મેં મારો વિગન ડાયેટ છોડી દીધો છે. હવે ઘી, દૂધ, મલાઈ માખણનો પ્રસાદ આરોગું છું. પણ મારા સુખની ઈર્ષ્યા કરીને કોઈએ અહિં મારા સુખમાં ભાગ પડાવવા દોડી આવવાની જરૂર નથી.
બહાર બોર્ડ લગાવડાવ્યું છે. આતાના કોઈ મિત્રે ૧૦૦ પહેલાં  સ્વર્ગ માં ઘૂસ મારવી નહિ.

સૌ મિત્રોને આતાના શુભાશિષ.

શાસ્ત્રી સુજાને કહેજો કે મારા બ્લોગને સાચવજો, પણ મારા નામે ઘાલમેલ ના કરશો. રિતેશભાઈને ખાસ થેન્ક્યુ પહોંચાડશો.
 

(આતાનો મને મળેલો એક ઈ મેઇલ)

મહેન્દ્ર ઠાકર

sureshbhai has started this mail on Our Beloved ATAA’s Birthday and we got warming response by all friends..

i too had his mail before 2-3 days as some interview he was to give so to help him to put on net..
He has shared also some intimate moments as shared with vinod bhai.
Till last moment he was hail and hearty.
and last but not least we are happy to receive his Altra communication to Pravinbhai
and now have to wait till100 years- century completion….
many hearty memories of AATaA
– ડૉ. નિમિત્ત ઓઝા
સ્મશાનનું સિક્યોરિટી ચેક બહુ કડક હોય છે. પાણીની બોટલ તો શું? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા.
સંબંધો, સત્તા, સમૃદ્ધિ અને સૃષ્ટિ. અગ્નિની જ્વાળાઓના વૈભવમાં ચેક-ઈન કરતા પહેલા બધું જ બહાર મૂકી દેવું પડે છે.
હેન્ડ લગેજમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જવાની પરમીશન હોય છે.
એક નિર્જીવ શરીર,
એ શરીરને ખુશી ખુશી ગુડબાય કહી રહેલો આત્મા
અને કેટલાક ઋણાનુબંધ.
આ પૃથ્વી પરથી અનિશ્ચિત સમયે આપણને લઈ જનારી કાયમી ઉડાનમાં બહુ ઓછી વસ્તુઓ પરમીટેડ હોય છે.
શક્ય છે કે એ ફ્લાઈટની ટીકીટ કોઈએ સ્પોન્સર કરેલી હોય કારણકે મૃત્યુ જાતે કમાઈ શકીએ, એટલા સક્ષમ અને સમર્થ કદાચ ક્યારેય નહીં થઈ શકીએ. આપણે બેઠા હશું ઈકોનોમી ક્લાસમાં અને આપણા કર્મો વટથી બિઝનેસ ક્લાસમાં સફર કરતા હશે.
વિન્ડો-સીટ પર બેઠેલા આપણી આસપાસનું જગત સંપૂર્ણ અપરિચિત હશે. બારીની બહાર હશે એક એવી દુનિયા જે આપણે ક્યારેય નિહાળી નહીં હોય અને બાજુમાં બેઠેલી હશે એક એવી વ્યક્તિ જેને આપણે ઓળખતા પણ નહીં હોઈએ.
એ ક્ષણે આપણી સાથે ફક્ત એક જ વસ્તુ હશે. આ દુનિયા પર આપણે વિતાવેલો સમય.
મૃત્યુની રાહ જોઈને પથારી પર પડ્યા હોઈએ ત્યારે ભૂતકાળની કોઈ વાતો યાદ કરીને આપણે ખડખડાટ હસી શકીએ, તો સમજવું કે આપણે જીવેલું સાર્થક છે.
મરતી વખતે સૌથી ધનવાન વ્યક્તિ એ જ કહેવાય છે જેની પાસે ખૂબ બધી યાદો, વાતો અને વાર્તાઓ છે.
જે માણસ જિંદગીમાં ક્ષણો કમાઈ નથી શકતો, એ સૌથી મોટો બેરોજગાર છે. સમયના ભોગે કમાયેલા પૈસા કરતા, પૈસાના ભોગે કમાયેલી ક્ષણો અને યાદો છેલ્લા શ્વાસ સુધી યાદ રહેતી હોય છે.
જતી વખતે ઘણું બધું સાથે આવશે.
દરિયા કિનારે ગાળેલી એક સાંજ,
પ્રિય વ્યક્તિના ખોળામાં માથું મૂકીને કરેલી વાતો,
મિત્રો સાથેની લોંગ ડ્રાઈવ,
આખી રાત સુધી ચાલેલી વોટ્સ-એપ ચેટ અને ગમતી વ્યક્તિઓ માટે કરેલા ઉજાગરા.
આપણે ખાલી હાથે નથી જવાનું. ખૂબ બધી યાદો ભરીને જવાનું છે.
મમ્મીની ગરમાગરમ રોટલીઓ,
પપ્પાએ કરેલું હગ,
ગર્લ-ફ્રેન્ડ સાથેનું કેન્ડલ લાઈટ ડિનર
અને મિત્રોની મીઠી ગાળો.
સાથે આવશે એવી પાર્ટીઓ જેમાં ભાન ભૂલીલે નાચેલા,
એવા રસ્તાઓ જ્યાં મિત્રો સાથે ભૂલા પડેલા.
ઘણું બધું સાથે આવશે.
હસતા હસતા જમીન પર આળોટેલા એવી કેટલીક જોક્સ અને રમૂજી પાત્રો.
થોડા સિક્રેટ મેસેજીસ અને કેટલાક ખાનગી પત્રો.
કોઈએ આપેલું પહેલું ગુલાબ,
કોઈએ આપેલો ‘હા’નો જવાબ.
કોઈની પ્રતીક્ષામાં ગાળેલા કલાકો,
કોઈના વિરહમાં વીતાવેલા દાયકાઓ.
કોઈ છેક સુધી ન મળી શક્યાનો અફસોસ,
તો કોઈ મળ્યા પછી વિખુટા પડી ગયાનો રંજ.
ગમતા સ્વજનો,
દોસ્ત અને દિલદાર.
છેક સુધી યાદ રહેશે હારેલી બાજીઓ અને રમેલા જુગાર…
માનવ અવતાર લીધા પછી જ્યાં ખુદ કૃષ્ણ આટલું બધું ઇવેન્ટફૂલ જીવ્યા હોય, એ ધરતી પર આપણી વાર્તાઓમાં પણ ક્યાંય કચાશ ન રહેવી જોઈએ. જેમાં એકપણ ઘટના ન હોય, એને સમાધિ કહેવાય. જીવતર નહીં.
એ વ્યક્તિ ભરપૂર જીવ્યો કહેવાય જેના ગયા પછી એના જીવન પર નવલકથા લખી શકાય,
મૃત્યુનોંધ નહીં.

જુગલકિશોર વ્યાસ

આતાજીને શ્રદ્ધાંજલી સાથે વંદના અને તેમની કેટલીક યાદો :

કનક રાવળ

મારોતો  તેમની સાથે મોટાભાઇ -નાનાભાઇ જેવો સબંધ હતો એટલે હિમ્મતભાઈ -કનકભાઈનો નાતોં રહ્યો હતો..
તેમની ખોટતો ક્યારેય પુરાશે નહીં. અમારી ભાવનગરી ભાષામાં તો “ઈ તોં મોટાભાઇ, જેવો ભડ  તેવોજ મુલાયમ આદમી.
ઈતોં  જ્યાં હોય ત્યાં ડાયરા જમાવતો હશે. પોપટ આંબાની ડાળ ને સરોવરની  પાળ કેરિયું  ખાય ને ગોટળા ઉલાળતો હશે.
ભણતર કરતાં ગણતર મોટું તેનું સચોટ ઉદાહરણ.”
જય હો આતા !

ઉત્તમ ગજ્જર

આતા ! આતા !!

તમારી બર્થ ડે નીમીત્તે, અહીં તમારા મીત્રોએ, (જેમણે ટીકટ બુક કરાવેલી જ છે તમારી પાસે આવવાની; પણ રીઝર્વેશન પેન્ડીંગ છે એવા) તમને આપેલી અંજલી સાચે જ ભાવાદર પુર્ણ છે. તેવા સૌને તમારા વતી ધન્યવાદ..

પણ તમારા આ સાહીત્યકાર મીત્ર પ્રવીણ શાસ્ત્રીજીએ તમને અર્પેલી અંજલી ‘આતાનો મને મળેલો એક ઈ મેઇલ.’ વીશીષ્ટ અને તેથી જ શ્રેષ્ઠ છે. આહાર–વીહાર–માન્યતા વીશે જિન્દગીની વાસ્તવીકતાયે તે બતાડે છે અને મોઘમ રીતે તમારા બ્લૉગમાં ઘાલમેલ ન કરવાની લાલ બત્તીયે ધરે છે..વળી, તમારા વતી રીતેશનો આભાર માનવાનુંયે તેઓ ચુક્યા નથી..

ચાલો, હવે આવતે વર્ષે આજ દીને ફરી મળીશું, મેલ દ્વારા.

આતાને રુબરુ ‘હેપી બર્થ ડે’ કહેવા ત્યાં દોડી જવાની કોઈએ ઉતાવળ કરવાની નથી.

..ઉ.મ..આ મેલ તો તમને મોકલું જ છું.. મળશે કે ? મળે તો જવાબ લખજો..

સુરેશ જાની

પ્રિય પૃથ્વી વાસી મિત્રો
    પ્ર્રુથ્વી સાથેનો મારો બધો વ્યવહાર મને માત્ર ચિત્રગુપ્ત મારફત જ થાય છે. એની સેન્સર ડિક્ટેટરશીપ અસહ્ય છે. પણ એ સહ્યા વિના કોઈ આરો નથી. અલબત્ત એ સારો જણ એ દુઃખ ભુલાવવા બીજી (!) સવલતો આપે છે, અને એમાં હું વ્યસ્ત છું, એટલે ખાસ કોઈ તકલિફ નથી !૧
      ચિત્રગુપ્ત માત્ર મારા ત્રીજા દીકરા જેવા સુરેશ જાની ( સુજા) ના જ ઈમેલ સંદેશા મોકલે છે. એના મારફત મળેલા સંદેશામાં આ પરવીનનો સંદેશો મને બહુ ગમી ગયો. એ મને દુનિયાવાસી હૂર પરવીન બાબીની યાદ અપાવી ગયો. તમે બધા પણ મને આટલા બધા યાદ કરો છો, એ જાણી ફરી જનમ આપવા ચિત્રગુપ્તને વાત કરું કે ના કરું ? – એમ મને વચાર આવે છે. પણ હાવ નાનો બાબલો બની દુનિયના  કોઈ ખૂણે કોઈ  માને ધાવતો હોઉં ત્યાં તમારો મેળાપ શી રીતે થાય? – એ વિચારે મેં પા્છા આવવાનો વચાર માંડી વાળ્યો છે !
– તમારો આતો !
image.png
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

દીવાદાંડી સમ દેશિંગા

         આપણા વ્હાલા ‘આતા’ એ આ બ્લોગ પર સિરિયલ તરીકે લખેલી, એમના વતન દેશિંગાની વાતો હવે ઈ-બુકના રૂપમાં, એમના માનસપુત્ર જેવા શ્રી. રીતેશ મોકાસણાએ પ્રસિદ્ધ કરી છે.

અહીંથી એ ડાઉન લોડ કરી શકશો.

          આનંદની વાત એ પણ છે કે, આ પુસ્તક હવે છપાઈ પણ ગયું છે. એનાં આગળ અને પાછળનાં પાનાં  આ રહ્યાં –

DSD1…….DSD2

બાળ વાર્તાઓ

       ઈન્ટરનેટ ઉપર ઘણી બધી બાળવાર્તાઓ હવે મળી જાય છે. જેટલી મળી એટલી વાર્તાઓનું એક  પ્રવેશદ્વાર  (portal)  બનાવ્યું છે, અને તે પણ ખાસંખાસ બાળકોના બ્લોગ ઉપર …

gpp_ev_hdr

આ ચિત્ર પર ક્લિક કરો.

અને…..અંગ્રેજી બાળ વાર્તાઓના પણ બહુ મોટા ખજાના નેટ ઉપર છે. થોડાક ભેગા કરેલા આ સરનામે ……

stories_11

આ ચિત્ર પર ક્લિક કરો.

Read more of this post

ઈ-વિદ્યાલય – નવો દેખાવ

સદગત ‘આતા’ને બાળકો બહુ જ પ્રિય હતાં. તેમનાં પ્રપોત્ર/ પ્રપૌત્રીઓના ફોટા તેઓ આપણને અવારનવાર અહીં મુકી બતાવતા અને હરખાતા.
‘આતા’ હરખાઈને નાચવા માંડે તેવી વાત આ છે…
સ્વર્ગમાં પણ આ વાંચીને ‘આતા’ નાચવા લાગશે !!

સૂરસાધના

ઈ-વિદ્યાલયને નવાં રૂપ રંગ આપવાનું કામ સ્ટુડિયોમાં ધમાધોકાર ચાલી રહ્યું છે,

ત્યારે આજનું એનું મુખડું …

ev_HG_1 આ ચિત્ર પર ક્લિક કરી, ત્યાં પહોંચો…

View original post

આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે

ગયા વર્ષે રામનવમીના દિવસે આતાજી એ કરેલ પોસ્ટ.

આતાવાણી

jai-srirama1આજે બ્રહ્માએ  મારા આયુષ્યના  નક્કી કરેલ વર્ષોમાંથી  95  વર્ષ  વાપરી નાખ્યાં  .  અને  છન્નુંમું વર્ષ  વાપરવાની શરૂયાત કરી છે  .બે મહિના પહેલાં મારા  hip  ના સાંધાનું હાડકું મારા અચાનક પડી જવાના કારણે ભાંગી ગયું   . ત્યારથી મને  હું વૃદ્ધ  હોઉં એવો અનુભવ થાય છે.કારણકે    વોકરની મદદથી  પણ  હું લાંબુ ચાલી શકતો નથી  . હું પડી ગયો એના બીજે દિવસે  મારા પગની સર્જરી કરવામાં આવી   ,અને મારું ભાંગેલ હાડકું કાઢી નાખીને એની જગ્યાએ સ્પેશીયલ ધાતુનું હાડકું  ઘુસાડી દેવામાં આવ્યું  . એક દિવસ આધેડ  વયની બાઈ મારી પાસે આવી  , અને મને કીધું કે હું ફીજીકલ  થેરેપી કરાવવા આવી છું   . એક પુરુષ પણ આવેલો એણે મારું વોકર પકડ્યું  ,  અને  ફીજીકલ વાળી બાઈએ  મને ચલાવવાની કૌશિશ  પોતાના પગથી મારા પગને ધક્કો  મારીને મને  ચલાવવાનો પ્રયાસ  કર્યો પણ હું માંડ એક ઇંચ ચાલી શક્યો  . મેં એને કીધું કે  મારે જાજરૂ જવું પડશે  , તો કોઈ નર્સને બોલાવો તો તે કહે  જાજરૂ …

View original post 177 more words

પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે

આતાજીના બ્લોગ ઊપર મંગળવારથી મંગલ શરૂઆત શ્રી ડો.કનક રાવળની દ્વારા થઇ છે. ડો.કનક રાવળે આ fantasy tale માર્ચ 28, 2014ના દિવસે લખી હતી. જેમાં તેમને આતાજીનો અણસાર આવે છે..
શ્રી ડો.કનક રાવળની આ પ્રસ્તુતિ માટે ખુબ ખુબ આભાર..

=======================================================================

 

માર્ચ 28, 2014 spider 1

 

  “ કરતાં જાળ કરોળીયો  વિ. ” કીંવા  “ દેશીંગાનો રાજકુમાર”
– એક વ્યંગાત્મક પણ નવદર્ષિત અવલોકન

        લેખક: ડો.કનક રાવળ,પોર્ટલેંડ,ઓરિગોન

બે અઠવાડિયાથી દિવસો ઉજળા અને હુંફાળા થયા છે.અહીં પોર્ટલેંડમાં સુરજ ભગવાન દોહ્યલા. આતો આસામના ચેરાપુંજી જેવી જગા.બસ વરસાદ વરસાદ એટલે જેવી તક મળી કે સૌ જીવ જંતુમાં જીવ આવે અને બધા તડકો ખાવા બહાર નિકળી આવે .

ખેર, ગયા સોમવારે સવારે ઘર બહાર નિકળ્યો અને પ્રાંગણમાં ટપાલ પેટી અને શરુના ઝાડ વચ્ચે કાંઈક ચમક્યું.
પાસે જઈને જોયું તો રાતની ઝાંકળના ટીપાઓથી શણગારાયેલું એક કરોળિયાનું જાળું હતું. ઘરમાં ઘણાંય જાળા પાડ્યા છે પણ આતો ખાસ લાગ્યું. તેનો શિલ્પકાર માલિક પણ કેંદ્રમાં બગભગતની જેમ શિકારની ટાંપીને રાહ જોતો પેંતરામાં બેઠો હતો. ઠીક કરીને હું તો મારા કામે ચાલી નિકળ્યો.spider 4

તે આગલી વાત તો ભુલી ગયો હતો પણ ફરી આ અઠવાડિયે યાદ આવ્યું એટલે કરોળિયા ભગતનો ઉદ્યમ જોવા કુતુહુલ થયું. જઈને જોયું તો બસ સવારનો નાસ્તો કરીને તે તો નવા શિકારની રાહમાં જાળના દુરના ભાગમાં છુપાઈને બેઠા  હતાં.
હવે મારાથી પણ સળેકડું ફર્યા વિના રહેવાયું નહી.એક ત્રણેક ઈંચ લાંબી પાતળી સુકા ઘાસની સળી લઈને જાળના બીજે છેડે નાખી. હજુ તો મારો હાથ પાછો ખેંચુ તે પહેલા તો ભગત શિકારી ત્યાં હાજર. પળ માત્ર નજર નાખી ના નાખી,
હવાથી હાલતા તણખતલાને જોઈને ખાવા લાયક છે કે કેમ તે વિચાર્યું અને પાસે જઈ અડકતાં જ તેની
જડતા સમજતાં, તુર્ત જ તણખલાની જકડી રાખેલા જાળના તાંતણાને કાપી તેને જમીન પર નાખી દીધું.

ભગતશિકારીનું શસ્ત્રકૌશલ્યને જોઈને  યાદ આવ્યું “He came,He saw,He conquered”

વાહ ઉસ્તાદ! spider 2
મેં બીજો અખતરો કર્યો. એક સુકા પાનનો ડુચો કરીને જાળ ઉપર નાખ્યો. અનુભવી શિકારીએ એક પળ ગુમાવ્યાં
વગર જાળના તાંતણા કાપીને તેને નીચે નાખ્યો.મારા તરફ આંખ મારીને ટોણો માર્યો કે
“તું મુરખ, મને શું સમજે  છે?” તેવો મને ભાસ થયો!
spider 3ફરી એક વાર હવે એક લીલા રસાળુ પાંદડાને નાખ્યું. તેના રંગ અને તાજી વાસને પતંગિયું માનીને ઉસ્તાદ આકર્ષાશે તેવો ફરેબ ધાર્યો. પણ આ વખતે તેણે છમાંથી ચાર પંજાએ શિકારને ઉચકીને જમીન પર નાખતા તે પણ પાંચ ફીટ નીચે  પડ્યા.”નો પ્રોબ્લેમ” બોલીને રોકેટફાળે પોતાના કિલ્લામાં  પરત ! હવેતો કિલ્લામાં  ઘણી ભાંગફોડ થઈ હતી એટલે   તેના સમારકામમાં મચી પડ્યા અને તેના અટહાસ્યથી   “તુચ્છ માનવી તું હાર્યો” એવો મને આભાસ થયો.
મેં પણ હાર કબુલી પણ સુર્ય દર્શનની ખુશાલીમાં મન પ્રસન્ન હતું એટલે વિચાર માળા આગળ ચાલી.
અરે જોતો,આ મહા કારીગરની હોંશિઆરી? જમીનથી 7થી 8 ફીટની ઉંચાઈએ 5×5ના  વિસ્તારમાં મોહક પણ કાતીલ માયાજાળ રચી હતી અને હળવી હવામાં ઉડતી નાની જીવાતનો કાળ બની હતી.બ્રામ્હણને લાડવા તેમ તેની રસવંતીને લાગતું હશે.
કરોળીયાનુ આખી રચના માટેનું કૌશલ્ય પુરાણોના માયાસુર સ્થપતિ સાથે સરખાવી શકાય.એક્લા હાથે જાળની કરામત રચવાના નિર્ણયથી માંડીને તે મુર્ત કરવા પાછળ કેટલી વિવીધ વિદ્યાઓ અને નિર્ણયો છુપાયા  હતાં? મારું મન તેનું લીસ્ટ બનાવા માંડયુ.
1. જાળ માટેની યોગ્ય સ્થળ શોધ.
2. બાંધકામ માટે અનુકુળ ઋતુ અને  દિવસની શોધ.
3. બાંધકામ માટે જરુરી પદ્દાર્થો (પોતાના શરીરનાજ) અને તેને કેમ વાપરવા.
.4. રસાયણ,ભૌતિક,ઈજનેરી,સ્થાપત્ય ,કલાકારી,કારભાર,સમાર કામ વિગેરેનું વિદ્યાજ્ઞાનતો પ્રભુપ્રાત્ય કોઠાજ્ઞાનજ મનાય? કઈ યુનીવર્સિટીમાં કરોળીયા ભણતા જોયાં? દેશી ભાષામાં,  “ભણેલા નહી પણ ગણેલાં”

વિચારો આગળ ચાલ્યા.આતો ઉપરવાળાનીજ રંગલીલાને?  લખચોરાસીને જન્મજાત  વારસા આપીને રાખના રમકડાં તેણે ઘડ્યાં. શાસ્ત્રોએ તે મહાચૈતન્યને ઋતંભરા પ્રજ્ઞા કહી.મહર્ષિ મહેશયોગીએ તેનો  અંગ્રેજી પર્યાય આપ્યો, “Creative Intelligence”.
મારા મનમાં નિસર્ગ માટેના માન,પ્રેમ,વિશ્વાસ,અહોભાવ અને અનુગ્રહની ભાવના પુષ્ટ બની.

_________________________________________________________

તાજા કલમ:

તે કરોળિયાને મેં એક માનનિય નામ આપ્યું “દેશીંગાનો રાજકુમાર”. એક વાર આતાએ યાદ આપ્યું હતું.”પંદરસોની વસ્તીવાળા અમારા નાનકડા દેશિંગા ગામના માણસો તમારી કોલેજુંમાં ભણેલા નહીં પણ ગણેલાંતો જરુર. અમે તો કોણી મારીને કુલડું કરવાવાળા.”

આ લખીને આજે ફરી જાળું જોવા ગયો તો ખાલીખમ ખંડેર. બધું રેઢું મુકીને દેશીંગા બાપુ ગામને ચોરે કસુંબો કાઢવા રવાના થઈ ગયા હતા- કદાચ મારો આ આત્માલાપ કે પ્રલાપ સાંભળીને ?

 

આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી

આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી. એનું કારણ બહું સ્પષ્ટ છે કે આતા તરફથી મળતું પ્રોત્સાહન.
હું જયારે ગુજરાતી શીખવા બ્લોગ સાથે જોડાયો ત્યારે ખબર ન હતી કે આતાજી જેવાં એક બાપ સમાન, ગુરુ સમાન વ્યક્તિ મને ગુજરાતી થકી જીવન પણ શીખવશે. હજી પણ મારા બ્લોગ ઊપર highest કોમેન્ટ કરનાર આતાજી જ છે. પણ એ કોમેન્ટ જ નથી એ તો અવિરત મળતાં આશીર્વાદ છે. આતાજી મને “વિચારયાત્રા” માટે ખુબ પ્રોત્સાહિત કરતાં અને હજી પણ એમની હાજરી હું “વિચારવાણી” થકી અનુભવી શકું છું.

screen-shot-2017-03-06-at-6-12-27-pm
સુરેશ અંકલે મને આતાવાણી સાથે જોડીને મને આતાજીનો ખુબ જ અંગત બનાવ્યો છે, જેથી હું એમનો આભારી છું. એવી જ એક તક મને રીતેશ મોકાસણા એ આતાજીની પુસ્તક “દેશીંગા”ના પ્રકાશનની આપી હતી જે હું ચુકી ગયો હતો. એનું મને દુઃખ પણ છે.

આતાવાણી સાથે જોડાઈને હું શું કરીશ એનો મને ત્યારે પણ ખ્યાલ ન હતો અને અત્યારે પણ ખ્યાલ નથી પરંતુ હું આતાજીના વાંચકોને એક વિનંતી જરૂર કરીશ કે વાંચકોને એમની જે પણ પોસ્ટ ગમી હોય અને એ પોસ્ટ થકી જે પણ અનુભવ્યું હોય તે મને ઇમેઇલ કરશે તો હું એ રીપોસ્ટ કરીને “આતાવાણી” વહેતી રાખી શકીશ.
ત્યાં સુધી હું આતાજીની અન્ય વિશેષ માહિતીસભર પોસ્ટ રિબ્લોગ કરીશ અને તે પોસ્ટની કૉમેન્ટ્સમાં પણ આપ સૌ આપના અભિપ્રાય અને અનુભવ જણાવી શકશો.
આપ સૌ મારા અંગત E-Mail ID પર ઇમેઇલ કરી શકશો.
E-Mail ID : ramimaulik@gmail.com

આપ સૌ એ મને સ્વિકાર્યો એ બદલ ખુબ આભાર અને મારી ક્યાંય પણ ભૂલ થતી હોય તો માફ કરી ધ્યાન દોરવાં વિનંતી.

આપ સૌનો આતાના સાનિધ્યમાં
મૌલિક “વિચાર”

આતાવાણી – નવા ક્ષિતિજમાં

‘આતા’ની વિદાય ના માતમને એક મહિનો પૂરો થયા પછી…

‘આતા’ અને ‘આતાવાણી’ના ચાહકોને ખુશ ખબર…

આતાવાણી જિવંત રહેશે.

‘આતાવાણી’ના સંચાલક તરીકે સૌ મિત્રો અને વાચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આતાની ત્રીજી પેઢીના હોય તેવા, માત્ર એકત્રીસ વર્ષના  શ્રી. મૌલિક રામી આજથી ‘આતાવાણી’ ના તંત્રી તરીકે જોડાયા છે.

     નેટ જગત પર મૌલિકનો પરિચય આપવાનો ન જ હોય.  પણ આ રહી એ તરવરતા તોખારની વેબ સાઈટ –

maulik_1

આ ‘લોગો’ પર ‘ક્લિક’ કરો.

મૌલિકના વિચારોની એક ઝલક…

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

    વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
      નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
     મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
     કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
     વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
    કારણકે,

વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિકના રૂપાળા વિચારોનો એથી ય  રૂપાળો દેહ –

mau12

છેલ્લે…… નોંધી લેવા જેવી વાત –  મૌલિકનો ખાનદાની વ્યવસાય છે – ફૂલો વેચવાનો. અને મૌલિકનો વ્યવસાય છે -પશ્ચિમી સંગીતની સાધના, શિક્ષણ અને પ્રસાર ! જર્મનીમાં તેણે આ અંગે તાલીમ લીધેલી છે.

આટલી ઓળખ પછી…… હવે પછીની સામગ્રી મૌલિક રામી જ અહીં આપશે.

સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી

dave1 dave2

     મારા વ્હાલા ‘ભાઈ’  – ‘આતાઈ’ ના જીવન દરમિયાન અને અવસાન બાદ તેમના પ્રત્યે પ્રેમ અને આદર ભાવ વ્યક્ત કરવા માટે સુરેશભાઈ અને સૌ મિત્રોનો હૃદય પૂર્વક આભાર.  મેં માત્ર એક બાપ જ ગુમાવ્યો નથી, પણ એક મિત્ર, ફિલસૂફ, માર્ગદર્શક અને પ્રેરણા સ્રોત પણ ગુમાવ્યો છે. તેમણે મને શીખવ્યું હતું કે, જીવનમાં ઊભો થતો દરેક પડકાર જાતને સુધારવા માટેની એક તક હોય છે. જીવનમાં અનેક પડકારો આવ્યા છે , પણ ‘હિમ્મત’નો આભાર કે, અમે તેને ઝીલી લેવા, તેમનાથી હાર્યા/ થાક્યા વિના જીવનમાં ઘણા આગળ વધી શક્યા છીએ, અને કાંઈક સારું કામ કરી શક્યા છીએ.

      આતાઈ ગયા નથી. આપણા હૃદયમાં તેઓ કાયમ માટે વસેલા છે.  તેમના સમ્પર્કમાં જે કોઈ આવે તેની ઉપર તેમની અસર રહેતી – જાણે કે, તેમણે એક જાતનું વશીકરણ કર્યું ન હોય ! જીવનના છેલ્લા શ્વાસ લગી બ્લોગ જગતમાં તેમની લોકપ્રિયતા અને તેમના વિવિધતા સભર લખાણો તેમના ચુંબકીય  વ્યક્તિત્વની સાક્ષી પૂરે છે. તેમનો ચહેરો ઉલ્લાસમય સ્મિતથી હમ્મેશ પ્રફુલ્લિત રહેતો. તેમની છેલ્લી નિદ્રા વખતે પણ  તે સ્મિત અવિચળ રહ્યું હતું. તે વખતે પણ એમ જ લાગ્યું હતું કે, તે આપણને ઉલ્લાસમય બનાવવાના મૂડમાં હતા અને તેમની અથાક શાયરી અથવા જીવનની કોઈક ઘટનાથી આપણને પ્રેરવા માંગતા હતા! ૯૫ વર્ષે પણ એમની યાદદાસ્ત ધારદાર હતી.

       મને આશા છે કે, આ અંજલિ બાદ પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે. આતાની વાણી માટે જગ્યા બદલાઈ છે – એટલું જ. એમની એક્સપ્રેસ ગાડી કોઈ અવનવા સ્ટેશન તરફ વળી છે.

– દેવ જોશી 

 

देखा न बंधुओ यह वक़्त कैसा है खतरनाक़ हरजाई

अचानक  ले गया आताई हमसे दूर, देकर ईतनी सख़्त हमसे जुदाई

सोचा था , रहेंगे सौ साल तक तो जरूर साथ हमारे

लेकिन न समज़ पायें हम उस विधि कि आंसुसे लिखी लिखाई

जिस ‘हिम्मत’ से कज़ा भी डर डर कर कांपती थी हमेशा

आज उस मौतमें भी आई कहांसे हिम्मत मेरे भाई

लिखते रहते थे वो तो हरदम अपने दोस्तोंके लिये

आज सब दोस्त लिख रहें हैं तेरी कहानी ओ मेरे आताई ।

a15

aataa

 

 

 

 

 

આતાને સચિત્ર સ્મરણાંજલિ

         આતાને ફોટા પડાવવાનો અને બ્લોગ પર મુકવાનો બહુ શોખ હતો. એમના એ શોખને યાદ કરીને આ સ્લાઈડ  શો એમની યાદમાં ….

This slideshow requires JavaScript.